શું તમને ખબર છે આ વખતે ચૈત્રી નવરાત્રી 8 દિવસોની છે
આ વખતે ચૈત્રી નવરાત્રી 9 દિવસના બદલે 8 દિવસની છે. 21 માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે. સામાન્ય રીતે નવરાત્રીમાં ઓછા દિવસો હોવા સારી વાત નથી મનાતી. તેને અશુભ મનાય છે. પણ આ વખતે નવરાત્રીના આઠ દિવસોમાં 6 દિવસોનો શુભસંયોગ થવાનો છે.
પંડિતોનું કહેવું છે કે શનિવારે નવરાત્રી શરૂ થવાથી આ નવરાત્રી, શ્રેષ્ઠ સમૃદ્ધિકારક રહેશે. સાથે જ ગ્રહચાલની દ્રષ્ટ્રિએ દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. વધુમાં 21 માર્ચ કે જ્યારે નવરાત્રી શરૂ થવાની છે તે દિવસે એક જ સમયે દિવસ અને રાત થશે. એટલે કે સૂર્યોદય પણ સવારે 6 વાગે થશે અને સૂર્યાસ્ત પણ સાંજે 6 વાગે થશે. આમ દિવસ રાતની અવધી અચૂક 12-12 કલાકની રહેશે. આવી ઘટના કેટલાય વર્ષોમાં એક જ વાર થાય છે.
રાયપુરના પંડિત અજય શર્માના મુજબ, ચૈત્ર નવરાત્રી 21 માર્ચથી શરૂ થઇને 28 માર્ચે પૂરી થઇ જાય છે. નવરાત્રીના આ સમયગાળામાં અનેક શુભયોગોનું સંયોગ બનવાનું છે.જેમાં ભૂમિ, વાહન, સોનાની ખરીદીથી સમુદ્ધિ પ્રાપ્ત થશે.