શું તમારા પર થયો કાળા જાદુ? આ સંકેતોથી જાણો
પૌરાણિક યુગમાં કામરું દેશનો ઉલ્લેખ જોવા મળે છે, તંત્ર-મંત્ર અને કાળા જાદુની ભૂમિ તરીકે ઓળખવામાં આવતો હતો. જે તંત્ર-મંત્ર અને કાળા જાદુની પ્રથા સદીઓથી ચાલી આવે છે. વધુ વખત તેનો સારો ઉપયોગ નહીં, દુરુપયોગની બાબત સામે આવી છે.
સામાન્ય રીતે કાળા જાદુ અથવા તંત્ર-ટોટકાનો ઉપયોગ તેમના દુશ્મન પર જીત મેળવવા માટે કરવામાં આવે છે. આ સાથે કોઈને કાબુમાં લેવા માટે તંત્ર-મંત્રનો સહારો પણ લેવામાં આવ્યો છે.

કાળો જાદુ કે, મેલી વિદ્યાનો ઉપયોગ કોઈના પર થયો છે કે, નહીં તે માટે કેટલાક સંકેતો પરથી જાણી શકાય છે. શકુન શાસ્ત્રમાં આ ચિહ્નોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
કોઈપણ વ્યક્તિ કે જેના પર જાદુ-ટોના કે કાળા જાદુ કરવામાં આવ્યો હોય, તે વ્યક્તિ પોતાના પર કાબૂ રાખી શકતી નથી. આવી વ્યક્તિ વિચિત્ર વર્તન કરવા લાગે છે.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર અચાનક બીમાર થવા લાગે તો સમજી લેવું કે કાળો જાદુ તે વ્યક્તિ પર અસર કરી શકે છે.
જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે અથવા ઘરના આંગણામાં મૃત પક્ષી પડી જાય તો આ સંકેતો અશુભ માનવામાં આવે છે. આને કાળા જાદુની અસર પણ કહેવામાં આવે છે.
વ્યક્તિના સ્વભાવમાં અચાનક બદલાવ આવવા લાગે છે, અને જો તે દરેક કામમાં પોતાને સાચો કહેવા લાગે તો સમજવું કે, તે વ્યક્તિ પર કાળો જાદુ પ્રભાવિત થયો છે.
જો અચાનક તમને નોકરી કે ધંધો કરવાનું મન ન થાય અને તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જાય તો આ પણ કાળો જાદુ સૂચવે છે.
કાળા જાદુની અસરથી વ્યક્તિ એકલતા પસંદ કરવા લાગે છે. તેના નખનો રંગ કાળો થવા લાગે છે.
ઘણીવાર રાત્રે ભયાનક સપનાં આવવા એ પણ કાળા જાદુની નિશાની છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
