જાણો કયા જાનવરને ઘરમાં રાખવો છે કે શુભ..
કેટલાક લોકો પોતાના ઘરમાં કુતરા, બિલાડી, સસલું જેવા જાનવરો પાળે છે લોકો શોખથી આ જાનવરોને પોતાના ઘરમાં રાખે છે. કેટલાક જાનવરો તમારા અશુભ હોઈ છે તો કેટલાક જાનવરો શુભ હોઈ છે.
કેટલાક એવા પશુ-પક્ષી હોઈ છે જેને ઘરમાં રાખવાથી તમારા ઘરનું વાતાવરણ સુખ અને સમૃદ્ધ બની જાય છે. આ જાનવરને ઘરમાં રાખવાથી ઘર વૈભવયુક્ત બની જાય છે. તેમના ઘરમાં આવવાથી સકારાત્મંક ઉર્જાનો સંચાર થાય છે.
તો જાણો કયા કયા જાનવરોને ઘરમાં રાખવાથી સકારાત્મંક ઉર્જાનો સંચાર થાય છે....
કુતરું
હિંદુ ધર્મ મુજબ કુતરાને ભેરવનો સેવક માનવામાં આવે છે. એવામાં જો તમે ઘરમાં કુતરો પાળો છો અને રોજ તેને ખવડાવો છો તો ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે.
દેડકો
વાસ્તુ મુજબ જો તમે ઘરમાં દેડકો ક્યાં તો પછી પીતળનો દેડકો પણ રાખો છો તો બિમારીઓ તમારાથી ઘણી દુર રહશે.
પોપટ
જ્યોતિષ મુજબ ઘરમાં પોપટ રાખવાથી તે આવનારી પરેશાનીઓને પહેલેથી જ જાણી લે છે.
ઘોડો
વાસ્તુ મુજબ ઘોડો ઐશ્વર્યનું પ્રતિક છે. ઘરમાં ઘોડો રાખવું શુભ હોઈ છે.
કાચબો
જ્યોતિષ મુજબ ઘરમાં કાચબો રાખવો ખુબ જ શુભ છે. કાચબો દશાવતારમાંનો એક છે એટલે તેને લક્ષ્મીનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે.
માછલી
સોનારી કલરની માછલી ખુબ જ શુભ માનવામાં આવે છે તેને રાખવાથી ઘરમાં શાંતિ રહે છે.
સસલું
વાસ્તુ મુજબ સસલું ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે.