શા માટે શ્રાદ્ધ દરમિયાન ખરીદી અને શુભ કામો છે વર્જિત?
પિતૃપક્ષ દરમિયાન એવું મનાય છે કે આપણા પૂર્વજોની આત્મા દરેક સમયે આપણાથી જોડાયેલી રહે છે. પરિણામે તેમની આત્માની શાંતિ અને તેમના આશિર્વાદ માટે કોઈ શુભ કામ કરવાનું ટાળવું જોઈએ. આ અંગે વધુ વાંચો અહીં..
શ્રાદ્ધના શરૂ થતા જ હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ઘર માં શુભ કામ કરવાના બંધ કરી દેવામાં આવે છે. એવું મનાય છે કે આ અશુભ સમય હોય છે અને આ દરમિયાન આપણા પૂર્વજો ફરીથી ધરતી પર આવે છે. આપણે આપણા ઘરમાં તેમની માટે શું કરીએ છીએ તે જોવા આવે છે. એકવાર જો તેઓ ખુશ થઈ જાય તો તેમની કૃપા દ્રષ્ટિ ઘર પર રહે છે અને તેમના આશિર્વાદથી તમે જીવનમાં આગળને આગળ સફળતા મેળવતા જાવ છો.

અશુભ સમય
શ્રાદ્ધનો સમય અશુભ મનાય છે. આ દરમિયાન ઘરમાં કોઈ ખુશી મનાવામાં આવતી નથી અને ન કોઈ ઉત્સવ મનાવામાં આવે છે. એટલું જ નહિં તમે ઘરમાં કોઈ નવા કપડા પણ ખરીદી લાવી નથી શકતા.

તમારી આસપાસ પિતૃઓની આત્મા રહે છે
આ દરમિયાન એવું કહેવાય છે કે આપણા પૂર્વજોની આત્મા દરેક સમયે આપણાથી જોડાયેલી રહે છે. પરિણામે તેમની આત્માની શાંતિ અને તેમના આશિર્વાદ માટે આપણે પૂરા વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ.

પિતૃઓ માટે કાઢો સમય
શ્રાદ્ધ દરમિયાન તમે પોતાની જાતને થોડા બદલો. તમે તમારી દિનચર્યાની કેટલીક આદતો છોડો અને પોતાના શોખને નિયંત્રિત કરો. વધુમાં વધુ આ સમયે પોતાના પિતૃઓ સાથે જોડાયેલા રહો, તેમની માટે પ્રાર્થના કરો, તેમને યાદ કરો.

પોતાની ભૂલ માટે માફી માંગવી
આ સમય દરમિયાન લોકો પોતાની ભૂલ માટે પિતૃઓની માફી માંગે છે અને તેમની યાદમાં પૂજા-પાઠ કરે છે. શ્રાદ્ધ ક્રિયા કરી પિતૃઓનું ઋણ ઉતારવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં કહેવાય છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ તમારી દરેક મનોકામનાની તૃપ્તિ કરે છે.

શા માટે કરાય છે તર્પણ
એવું મનાવામા આવે છે કે, આ 14 દિવસના સમયગાળા દરમિયાન પિતૃગણ ધરતી પર આવે છે. પિતૃલોકમાં આ સમયે પાણીની અછત થઈ જતી હોય છે, પરિણામે તેમના વંશજોથી તર્પણ કરાવવા તેઓ ધરતી પર આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન પિતા દ્વારા લીધેલુ દેવું ઉતારી દેવું જોઈએ. પિતૃના દેવાને કારણે પણ આ દિવસોમાં શુભ કામ કરવામાં આવતા નથી.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
