આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અને સૌની નજર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર ટકેલી છે. દેશમાં જે પ્રકારે મોદીની લહેર જોવા મળી હતી અને જે પ્રકારે ઊંચું મતદાન થયું હતું તેના મૂજબ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે પછી મોદીની જ સરકાર બનવા જઇ રહી છે. આ પહેલા એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળી ચૂકી છે. આજે જોવાનું એ છે કે આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે કેવો રહેશે, દુ:ખ ભર્યો રહેશે કે ખુશીઓથી ભરેલો રહેશે. આવો જોઇએ કે નરેન્દ્ર મોદીની રાશિ આજે શું કહે છે.
જાણો શું કહે છે આજે નરેન્દ્ર મોદીની વૃશ્ચિક રાશિ...
વનઇન્ડિયાના જ્યોતિષ પ્રમાણે
આપના મનમાં સંતાન પ્રત્યે ઉદાસીનતાના ભાવ ઉત્પન્ન થઇ શકે છે. આપ પોતાની સ્પષ્ટવાદી વાતો નિયંત્રણ કરે અન્યથા પરિવારમાં કોઇ કોઇની સાથે ખિટપિટ થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે વધારે વફાદારી ના નિભાવે.
આજતકના જ્યોતિષ પ્રમાણે
ભાગ્ય આપની સાથે છે અને દરેક પ્રકારે આપને મદદગાર બની રહેશે. આપના પ્રયાસ કેન્દ્રીત નથી, મનમાં અસંતોષ છે. એવું ના વિચારો કે દરેક સમયે સમસ્યા રહેશે.
આઇબીએનલાઇવના જ્યોતિષ પ્રમાણે
સહજતાથી કાર્યોને આગળ વધારો. વધારે મહેનત અને તડકાથી બચવું. મહેનતની કમાઇને સમજી વિચારીને ખર્ચ કરવી. સંબંધોમાં સુધાર રહેશે. ભવિષ્યના નિર્ણય લેવામાં ઉતાવળથી બચવું. દિવસ સામાન્ય શુભ.
પંજાબ કેસરીના જ્યોતિષ પ્રમાણે
આજનો દિવસ આપના માટે કન્ફ્યુસિંગ રહી શકે છે. કોઇ ફેરફાર અથવા આવનારા સમયમાં પરિવર્તનથી આપને કોઇ ચિંતા વ્યાપ્ત થઇ શકે છે. જો વિશ્વાસ અને ઇમાનદારીનો મેલ કરવામાં આવે તો કોઇ દૂરની જાણકાર વ્યક્તિ આપના આ સંશયનું નિવારણ કરી શકે છે. એ જરૂરી નથી કે જે કંઇ પણ આપના દિમાગમાં ચાલી રહ્યું છે તે સો ટકા બનીને રહે.
નવભારત ટાઇમ્સના જ્યોતિષ પ્રમાણે
ઉત્સવ અને ત્યોહારમાં સામેલ થવાના અવસર પ્રાપ્ત થશે. સારા ભોજનથી સ્વાસ્થ્યમાં વધારો થશે. મિત્રો અને બંધુજનોના કારણે તણાવ થવાથી ઘરમાં પણ તણાવ રહેશે. શુભ સમાચાર આવવું સતત ચાલુ રહેશે. માટે એજ કાર્ય કરો જેમાં સફળ થવાની આશા હોય. સંતાન પ્રત્યે થોડા ચિંતિત થશે, પરંતુ સમજદારીથી કામ લો.