Lunar Eclipse 2021: અવિવાહિત લોકો માટે અશુભ હોય છે ચંદ્રગ્રહણ! જાણો કારણ
Lunar Eclipse 2021: અવિવાહિત લોકો માટે અશુભ હોય છે ચંદ્રગ્રહણ! જાણો કારણ
આજે 19 નવેમ્બરે 2021નું અંતિમ ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જો કે આ ગ્રહણનો પ્રભાવ ભારતમાં નહીં હોય કેમ કે જે સમયે ગ્રહણ લાગશે તે સમયે ભારતમાં દિવસ હશે પરંતુ ગ્રહણ જે સમયે સમાપ્ત થશે તે સમયે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્યાસ્ત થશે અને હવે આ તે સમયે આંશિક રેખાના રૂપમાં નોર્થ ઈસ્ટમાં જોવા મળશે. આને સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્ર ગ્રહણ કહેવાઈ રહ્યું છે, જે 19 નવેમ્બર 2021 શુક્રવારે ભારતીય સમયાનુસાર સાંજે 11.34 વાગ્યે પ્રારંભ થશે અને સાંજે 5.33 વાગ્યે પૂર્ણ થશે. ગ્રહણની કુલ અવધિ 5 કલાક 59 મિનિટ રહેશે.

અવિવાહિત લોકોએ ચાંદો ના જોવો જોઈએ
આમ તો સાયન્સના હિસાબે ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધર્મમાં ગ્રહણને લઈ કેટલીય વાતો કહેવામાં આવી છે, જે હિસાબે ચંદ્ર ગ્રહણ હોય કે સૂર્ય ગ્રહણ બંનેનું હોવું સારું મનાતું નથી. માટે અવિવાહિતોએ ચંદ્ર ગ્રહણના દર્શન કરવાં ના જોઈએ.

અવિવાહિત લોકોના લગ્નમાં બાધા આવે છે
એવું માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણના દિવસે ચાંદને જોવાથી અવિવાહિત લોકોના લગ્નમાં સમસ્યા સર્જાય છે. તેમની બનેલી વાત બગડી જાય છે કેમ કે પૌરાણિક કથાઓ મુજબ ચંદ્રને શ્રાપ મળ્યો છે, જેના કારણે ચાંદને સીધી રીતે જોનારાઓના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવે છે.

ચાંદને પોતાના રૂપનું ઘમંડ થઈ ગયું હતું
કહાની કંઈક એવી છે કે ચાંદને પોતાના રૂપનું ઘમંડ થઈ ગયું હતું અને તે ગમે તેની મજાક ઉડાવી દેતો હતો. એકવાર પોતાના પ્રભુ શ્રી ગણેશના મજાક પણ ઉડાવ્યા, જેના પર ગણેશ જીએ તેમને ગુસ્સામાં શ્રાપ આપી દીધો હતો કે જે કોઈપણ તને જોશે તે કલંકનો ભાગીદાર બનશે. ચાંદને જ્યારે આ શ્રાપ મળ્યો તો તેની પત્નીઓ તેનાથી દૂર થઈ ગઈ, જો કે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી.

ચાંદની પૂજા ચાળણીથી થવા લાગી
જે બાદ ગણેશજીએ કહ્યું કે મારો શ્રાપ હવે પાછો ના લઈ શકાય પરંતુ જે દિવસે તું આખા આકારમાં હોઈશ એટલે કે પૂર્ણિમાના દિવસે લોકો તમારી પૂજા કરશે પરંતુ આના માટે તેમણે તમારા પડછાયાની પૂજા કરવી પડશે. જે બાદથી ચાંદની પૂજા ચાળણીથી થવા લાગે અને ચાંદની પત્નીઓ તેની પાસે આવી ગઈ. તેમનું વૈવાહિક જીવન પ્રભાવિત થયું હતું એટલે વડીલો અવિવાહિતોને ચાંદ જોવાની ના પાડે છે.












Click it and Unblock the Notifications
