Maha Shivratri 2023: ક્યારે છે મહાશિવરાત્રિ, અહીં જાણો તારીખ, સમય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસનુ મહત્વ, પૂજા વિધિ, મુહૂર્ત સહિત બધી જ વિગતો.
Maha Shivratri 2023: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મહાશિવરાત્રિ હોય છે. આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ 18 ફેબ્રુઆરીના રોજ આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓને ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. આ દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા કરવી ખૂબ જ ફળદાયી અને પુણ્યકારી હોય છે.
આ વર્ષના પંચાંગ મુજબ 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ મહાશિવરાત્રિનુ પર્વ મનાવવામાં આવશે. આ દિવસે રાતે 8 વાગીને 2 મિનિટે મહાશિવરાત્રિની શરુઆત થશે, જ્યારે 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગીને 18 મિનિટે સમાપ્ત થશે.
મહાશિવરાત્રિની પૂજા વિધિ
- મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરી લો.
- સ્નાન બાદ નવા વસ્ત્રો ધારણ કરો.
- દૂધ, બિલિપત્ર, ધતૂરા, જળ, અક્ષત અને ફૂલોથી પૂજાની થાળી સજાવો.
- શિવલિંગ પર અર્પિત કરવા માટે રુદ્રાક્ષ પણ પૂજા સામગ્રીમાં સામેલ કરો.
- જળના લોટા અને પૂજાની થાળીને કોઈ શુદ્ધ લાલ કપડાંથી ઢાંકી દો.
- હવે શિવલિંગની પૂજા આરંભ કરો અને ભગવાન શિવનુ ધ્યાન ધરો.
- શિવલિંગની પૂજા દક્ષિણ દિશામાં બેસીને કરો.
- સૌથી પહેલા ભગવાન શિવને દૂધ અર્પણ કરો.
- દૂધ ચડાવ્યા પછી શિવલિંગ પર જળ ચડાવો.
- જળ પછી શિવલિંગ સમક્ષ અક્ષત અને રુદ્રાક્ષ અર્પણ કરો.
- ત્યારબાદ શિવલિંગને ત્રિપુંડ તિલક લગાવો.
- ત્યારબાદ શિવલિંગ પર બિલિપત્ર અને ધતૂરો અર્પણ કરો.
- શિવલિંગ પર ફૂલ ચડાવો અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો.
- ભગવાન શિવના મંત્રોનો જાપ કર્યા બાદ શિવલિંગની પરિક્રમા કરો.
- ભગવાન શિવની આરતી ઉતારો અને તેમને પ્રસાદ ધરાવો.
- ત્યારબાદ બધાને પ્રસાદ વહેંચો.
- ભગવાન શિવની મૂર્તિની આખી પરિક્રમા અને શિવલિંગની અડધી પરિક્રમા કરો.
- ભગવાન શિવની પૂજા પહેલા માતા પાર્વતીની પૂજા જરુર કરો.
પૂજાના શુભ મુહૂર્ત
મહાશિવરાત્રિની પૂજા નિશિતા કાળમાં કરવામાં આવે છે.
- નિશિતા કાળનો સમયઃ 18 ફેબ્રુઆરી, રાતે 11 વાગીને 52 મિનિટથી 12 વાગીને 42 મિનિટ સુધી
- પ્રથમ પ્રહર પૂજા સમયઃ 18 ફેબ્રુઆરી, સાંજે 6 વાગીને 40 મિનિટથી રાતે 9 વાગીને 46 મિનિટ સુધી
- દ્વિતીય પ્રહર પૂજા સમયઃ રાતે 9 વાગીને 46 મિનિટથી રાતે 12 વાગીને 52 મિનિટ સુધી
- તૃતીય પ્રહર પૂજા સમયઃ 19 ફેબ્રુઆરી, રાતે 12 વાગીને 52 મિનિટથી 3 વાગીને 59 મિનિટ સુધી
- ચતુર્થ પ્રહર પૂજા સમયઃ 19 ફેબ્રુઆરી, 3 વાગીને 59 મિનિટથી સવારે 7 વાગીને 5 મિનિટ સુધી
મહાશિવરાત્રિનુ મહત્વ
હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. જેને દર વર્ષે મહાશિવરાત્રિ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે ભોલાનાથના ભક્તો શ્રદ્ધા સાથે મહાશિવરાત્રિનુ વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી તેમની આરાધના કરે છે.