For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maha Shivratri 2023: ક્યારે છે મહાશિવરાત્રિ, અહીં જાણો તારીખ, સમય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસનુ મહત્વ, પૂજા વિધિ, મુહૂર્ત સહિત બધી જ વિગતો.

By Desk
|
Google Oneindia Gujarati News

Maha Shivratri 2023: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મહાશિવરાત્રિ હોય છે. આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ 18 ફેબ્રુઆરીના રોજ આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓને ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. આ દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા કરવી ખૂબ જ ફળદાયી અને પુણ્યકારી હોય છે.

આ વર્ષના પંચાંગ મુજબ 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ મહાશિવરાત્રિનુ પર્વ મનાવવામાં આવશે. આ દિવસે રાતે 8 વાગીને 2 મિનિટે મહાશિવરાત્રિની શરુઆત થશે, જ્યારે 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગીને 18 મિનિટે સમાપ્ત થશે.

મહાશિવરાત્રિની પૂજા વિધિ

મહાશિવરાત્રિની પૂજા વિધિ

  • મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરી લો.
  • સ્નાન બાદ નવા વસ્ત્રો ધારણ કરો.
  • દૂધ, બિલિપત્ર, ધતૂરા, જળ, અક્ષત અને ફૂલોથી પૂજાની થાળી સજાવો.
  • શિવલિંગ પર અર્પિત કરવા માટે રુદ્રાક્ષ પણ પૂજા સામગ્રીમાં સામેલ કરો.
  • જળના લોટા અને પૂજાની થાળીને કોઈ શુદ્ધ લાલ કપડાંથી ઢાંકી દો.
  • હવે શિવલિંગની પૂજા આરંભ કરો અને ભગવાન શિવનુ ધ્યાન ધરો.
  • શિવલિંગની પૂજા દક્ષિણ દિશામાં બેસીને કરો.
  • સૌથી પહેલા ભગવાન શિવને દૂધ અર્પણ કરો.
  • દૂધ ચડાવ્યા પછી શિવલિંગ પર જળ ચડાવો.
  • જળ પછી શિવલિંગ સમક્ષ અક્ષત અને રુદ્રાક્ષ અર્પણ કરો.
  • ત્યારબાદ શિવલિંગને ત્રિપુંડ તિલક લગાવો.
  • ત્યારબાદ શિવલિંગ પર બિલિપત્ર અને ધતૂરો અર્પણ કરો.
  • શિવલિંગ પર ફૂલ ચડાવો અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો.
  • ભગવાન શિવના મંત્રોનો જાપ કર્યા બાદ શિવલિંગની પરિક્રમા કરો.
  • ભગવાન શિવની આરતી ઉતારો અને તેમને પ્રસાદ ધરાવો.
  • ત્યારબાદ બધાને પ્રસાદ વહેંચો.
  • ભગવાન શિવની મૂર્તિની આખી પરિક્રમા અને શિવલિંગની અડધી પરિક્રમા કરો.
  • ભગવાન શિવની પૂજા પહેલા માતા પાર્વતીની પૂજા જરુર કરો.
પૂજાના શુભ મુહૂર્ત

પૂજાના શુભ મુહૂર્ત

મહાશિવરાત્રિની પૂજા નિશિતા કાળમાં કરવામાં આવે છે.

  • નિશિતા કાળનો સમયઃ 18 ફેબ્રુઆરી, રાતે 11 વાગીને 52 મિનિટથી 12 વાગીને 42 મિનિટ સુધી
  • પ્રથમ પ્રહર પૂજા સમયઃ 18 ફેબ્રુઆરી, સાંજે 6 વાગીને 40 મિનિટથી રાતે 9 વાગીને 46 મિનિટ સુધી
  • દ્વિતીય પ્રહર પૂજા સમયઃ રાતે 9 વાગીને 46 મિનિટથી રાતે 12 વાગીને 52 મિનિટ સુધી
  • તૃતીય પ્રહર પૂજા સમયઃ 19 ફેબ્રુઆરી, રાતે 12 વાગીને 52 મિનિટથી 3 વાગીને 59 મિનિટ સુધી
  • ચતુર્થ પ્રહર પૂજા સમયઃ 19 ફેબ્રુઆરી, 3 વાગીને 59 મિનિટથી સવારે 7 વાગીને 5 મિનિટ સુધી
મહાશિવરાત્રિનુ મહત્વ

મહાશિવરાત્રિનુ મહત્વ

હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. જેને દર વર્ષે મહાશિવરાત્રિ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે ભોલાનાથના ભક્તો શ્રદ્ધા સાથે મહાશિવરાત્રિનુ વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી તેમની આરાધના કરે છે.

English summary
Mahashivratri 2023 date, time, puja vidhi, muhurt and importance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X