Mahashivratri 2025 : આ લોકોએ મહાશિવરાત્રિનો ઉપવાસ ન કરવો જોઈએ, જાણી લો ઉપવાસના નિયમો
Mahashivratri 2025 : હિન્દિુ પરંપરામાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવના ભક્તો ધામધુમથી ઉજવણી કરે છે.
શિવપુરાણમાં મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતા ઉપવાસ પૂજા અર્ચનાનું અનોખુ મહત્વ દર્શાવાયુ છે. મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલ ઉપવાસ કષ્ટોથી મુક્તિ અપાવે છે.

ભક્તોએ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આરાધ્ય દેવથી ઉપવાસ પૂર્ણ થાય તેવી કામના કરવી જોઈએ. જણાવી દઈએ કે મહાશિવરાત્રિનો ઉપવાસ કોણે કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ તેના ખાસ નિયમો છે.
શિવ પુરાણમાં મહાશિવરાત્રિના વ્રતને લઈને કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે શિવજીની પૂજામાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- મહાશિવરાત્રિ વ્રત નિરાહાર અને ફલાહાર સાથે કરવામાં આવે છે. મહાશિવરાત્રિનો ઉપવાસ ગર્ભવતી મહિલા અને વૃદ્ધોએ ટાળવો જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલા અને વૃદ્ધોને સંતુલિત આહારની જરૂર હોય છે. પીરિયડ્સમાં પણ મહાશિવરાત્રિનો ઉપવાસ સ્ત્રીઓએ કરવાની મનાઈ છે.
- મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં ભક્તોએ ફક્ત એક સમય જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વ્રતના દિવસે પાચન તંત્રમાં કોઈ અપચિત ભોજન શેષ ન રહી ગયું હોય.
- શિવરાત્રીના દિવસે સવારે નિત્ય કર્મ કર્યા પછી પૂરા દિવસના ફલાહાર અથવા નિરાહાર વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ઉપવાસના સમયે ભક્તોએ તમામ પ્રકારના ભોજનથી દૂર રહેવું જોઈએ.
- આ દિવસે સ્નાનના જળમાં કાળા તલ નાખવાનું સૂચન આપવામાં આવ્યું છે. માન્યતા છે કે, શિવરાત્રિના દિવસે કરવામાં આવતા પવિત્ર સ્નાનથી દેહ અને આત્માનું શુદ્ધિકરણ થઈ જાય છે. આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.
- પ્રદોષ કાળ, નિશિતા કાળ અથવા રાત્રિના ચારેય પ્રહરમાં ઘરે અભિષેક-પૂજન કરવા માટીના શિવલિંગ બનાવો અને પછી જળ અને પંચામૃતથી અભિષેક કરો.
- દૂધ, ગુલાબ જળ, ચંદનનો લેપ, દહીં, મધ, ઘી, ખાંડ, બેલપત્ર, મદારના ફૂલ ભસ્મ, ભાંગ, ગુલાલ તથા જળ વગેરે સામગ્રીઓનો ઉપયોગ કરો.
More From
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ







Click it and Unblock the Notifications
