Makar Sankranti 2020: મકર સંક્રાંતિના દિવસે કેમ બનાવાય છે ખિચડી, જાણો તમારા ગ્રહ સાથેનું કનેક્શન
Makar Sankranti 2020: મકર સંક્રાંતિના દિવસે કેમ બનાવાય છે ખિચડી, જાણો તમારા ગ્રહ સાથેનું કનેક્શન
સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારને મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. લોકો ઘરમાં આ દિવસે કેટલાય પ્રકારના પકવાનો બનાવે છે, જેમાં એક પકવાન ખિચડી પણ સામેલ હોય છે. મકર સંક્રાંતિના દિવસે ખિચડી બનાવવા અને ખાવાની પાછળ પણ એક ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ કારણે જ આ પર્વને કેટલીક જગ્યાએ ખિચડી પર્વ તરીકે પણ કહેવામાં આવે છે.

ગ્રહો સાથે છે સંબંધ
મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે ભગવાન સૂર્યને ખિચડીનો ભોગ લગાવવામાં આવે છે અને ગુળ તથા તલથી બનેલી વસ્તુઓ જેવી કે તલના લાડવા, રેવડી વગેરે પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે. અહીં જાણો ખિચડી વિના મકર સંક્રાંતિને અધુરી કેમ માનવામાં આવે છે અને તમારા ગ્રહો સાથે ખિચડીનું ઉંડુ કનેક્શ શું છે.

કઈ વસ્તુઓથી બને છે મકર સંક્રાંતિની ખિચડી
ધાર્મિક માન્યતાઓ મુજબ મકર સંક્રાંતિની ખિચડી ચોખા, કાળા તલ, મીઠું, હળદળ, ઘી અને શાકભાજી ખાસ કરીને ફુલકોબી પણ ઉમેરીને બનાવવામાં આવે છે.

મકર સંક્રાંતિની ખિચડીનો ગ્રહો સાથે સીધું કનેક્શન કઈ રીતે
મકર સંક્રાંતિની ખિચડી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સફેદ ચોખાને ચંદ્રમાનો પ્રતિક માનવામાં આવે છે. જ્યારે આમાં નાખવામાં આવતી કાળી દાળને શનિનું પ્રતિક માનવામાં આવે છે. ખિચડીમાં ઉમેરાતાં લીલાં શાકભાજી બુધ સાથે સંબંધ ધરાવે છે. ધારમિક માન્યતાઓ મુજબ ખિચડીની ગરમી વ્યક્તિને મંગળ અને સૂર્ય સાથે જોડે છે. જે કારણે આ દિવસે જો કોઈ વ્યક્તિ ખિચડીનું સેવન કરે છે તો તેની રાશિમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે. મકર સંક્રાંતિ સંબંધિત વધુ આર્ટિકલો વાંચવા માટે Makar Sankranti 2020 પર ક્લિક કરો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
