Nag Panchami 2023 : નાગને મારો તો નાગણી બદલો લે છે, જાણો શું છે સત્ય?
Nag Panchami 2023 : ભારતના ઘણા રાજ્યોમાં આજે એટલે કે, 21 ઓગસ્ટના રોજ નાગ પંચમી ઉજવવામાં આવી રહી છે. તો વિક્રમ સંવત અનુસાર ગુજરાતમાં નાગ પંચમી 4 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.
નાગ પાંચમના દિવસે લોકો નાગની ઢવાણિયા દાદા, વાસુકી દાદા કે ગોગો મહારાજના રૂપમાં પૂજા કરે છે. લોકો સાપને દુધ પીવડાવે છે, જોકે સાપને દુધ પીવું પસંદ નથી, તેવું વૈજ્ઞાનિક તારણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત વિક્ટોરિયા મ્યુઝિયમમાં અનેક પ્રકારના સાપની પ્રજાતિઓ છે. તેની વેબસાઈટ પર તમામ સાપ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં તમામ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ છે.
જો તમે નાગ (કોબ્રા)ને મારશો, નાગણી બદલો લેશે - વિક્ટોરિયા મ્યુઝિયમની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે કે, સાપને કોઈ સામાજિક બંધન નથી હોતું અને ન તો તે હુમલાખોરને ઓળખી શકે છે.
સાપના હુમલાખોરને ઓળખીને સાપ બદલો લઈ શકે તેવી કોઇ શક્યતા નથી. ખરેખર સાપની યાદશક્તિ એટલી ઝડપી હોતી નથી. આ અફવા બોલીવુડ ફિલ્મોના કારણે ફેલાઈ છે, જે સાચી નથી.
સાપ સાંભળી શકતા નથી - સાપના કાન સામાન્ય પ્રાણીઓની જેમ બહાર આવ્યા ન હોત, પરંતુ તેઓ જમીન પરથી પેદા થયેલા ખતરા પરથી અનુમાન લગાવી શકે છે કે, કોઈ તેમની નજીક આવી રહ્યું છે.
સાપ ફક્ત જોડીમાં જ ચાલે છે - એક બીજી માન્યતા છે, જેમાં એવું કહેવામાં આવે છે કે, સાપ હંમેશા જોડીમાં ચાલે છે, પરંતુ આ પણ સંપૂર્ણપણે ખોટું છે. વાસ્તવમાં જ્યારે પણ પ્રેમ-મિલન થાય છે, ત્યારે ફક્ત બે જ સાપ એકસાથે જોવા મળે છે, પરંતુ તે દરમિયાન પણ તેઓ જોડીમાં ચાલતા નથી.
આવી ઘણી જગ્યાએ એવી માન્યતા છે કે, જો સાપનું માથું કાપી નાખવામાં આવે તો તે સૂર્યાસ્ત સુધી જીવિત રહે છે, પરંતુ આ તદ્દન ખોટી હકીકત છે. માથું કાપ્યા પછી, સાપ થોડો સમય જીવતો રહેશે અને પછી તે મરી જશે. સૂર્યાસ્ત સુધી જીવિત હોવાની વાત ખોટી છે.
સાપ દૂધ પીવે છે - એવું કહેવાય છે કે, દૂધને વાસણમાં રાખવામાં આવે તો સાપ આવીને પી લે છે, જ્યારે એવું નથી. સાપને ડેરી ઉત્પાદનો પચવામાં તકલીફ પડે છે. તેથી જ તેઓ દૂધ પીવાથી દૂર રહે છે. જોકે, જો તેમને તરસ લાગી હોય, તો તેઓ દુધ પી શકે છે.












Click it and Unblock the Notifications
