Nakshatra Connection: રેવતી, અનુરાધા નક્ષત્રમાં બીમારી આવી તો ઠીક થવામાં સમય લાગશે
Nakshatra Connection: રેવતી, અનુરાધા નક્ષત્રમાં બીમારી આવી તો ઠીક થવામાં સમય લાગશે
Nakshatra Connection: ભારતીય મનીષિયોએ વૈજ્ઞાનિક આધાર પર ગ્રહ-નક્ષત્રની સટીક ગણતરી કરી પ્રત્યેક કાર્ય વિશે સૂક્ષ્મતાથી જાણકારી આપી છે. જેમાં નક્ષત્રોના આધાર પર કોઈ રોગની ઉત્પત્તિ અને તેના ઠીક થવા વિશે પણ જણાવવામાં આવ્યુ્ં છે. આ દિવસોમાં જ્યાં આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, એવામાં લોકોની ચિંતા સ્વાભાવિક છે કે જો તેમને રોગ થયો તો સાજા થવામાં કેટલા દિવસ લાગી જાશે. જ્યોતિષના પ્રમુખ ગ્રંથ મુહૂર્તચિંતામણિમાં નક્ષત્રોના આધારે રોગ મુક્તિનો સમય જણાવવામાં આવ્યો છે. કયા નક્ષત્રમાં રોગ પ્રારંભ થવા પર કેટલા દિવસમાં ઠીક થઈ શકો છો, આ જાણકારી બહુ સૂક્ષ્મતાથી અધ્યન કરી જણાવવામાં આવી છે.
મુહૂર્તચિંતામણિના નક્ષત્ર પ્રકરણના 46મા શ્લોકને અનુસાર
मूलाग्निदास्त्रे नव पितृभ्ये नखा बुध्न्यार्यमेज्यादितिधातृंभे नगा: ।
मासोब्जवैश्वेथ यमाहिमूलभे मिश्रेशपितृये फणिदंशने मृति: ।।
આ મુજબ સ્વાતી, જ્વેષ્ઠા, પૂર્વા ષાઢા, પૂર્વા ભાદ્રપદ, પૂર્વા ફાલ્ગુની, આદ્રા, આશ્લેષ,ા આ સાત નક્ષત્રોમાં જે મનુષ્યને રોગ પ્રારંભ થાય તેના મૃત્યુની આશંકા બની રહે છે. જો જન્મ કુંડલીમાં પાપ ગ્રહોની સંખ્યા શુભ ગ્રહોથી વધુ થઈ જાય છે તો આ આશંકા પ્રબળ થઈ જાય છે.
- રેવતી, અનુરાધા નક્ષત્રમાં રોગ પ્રારંભ તાય તો ઠીક થવામાં સમય લાગે છે. નિશ્ચિત સમય ના જણાવી શકાય.
- ભરણી, શ્રવણ, શતભિષા, ચિત્રા આ ચાર નક્ષત્રોમાં રોગાત્પત્તિ થાય તો 11 દિવસ સુધી રોગનો પ્રકોપ વધુ રહે છે. 11 દિવસ બાદ રોગ મુક્તિ થાય છે.
- વિશાષ, હસ્ત, ઘનિષ્ઠ નક્ષત્રમાં રોગ આવે તો 1 પક્ષ અર્થાત 15 દિવસ રોગ ઠીક થવામાં લાગે છે.
- મૂળ નક્ષત્રોમાં રોગ પ્રારંભ થવા પર તે 20 દિવસ બાદ ઠીક થઈ જાય છે.
- ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગુની, પુષ્ય, પુનર્વસુ, રોહિણી આ પાંચ નક્ષત્રોમાં કોઈ બીમારી શરૂ થાય તો તે ઠીક થવામાં 7 દિવસ સુધીનો સમય લાગે છે.
- મૃગશિરા, ઉત્તરાષાઢા, નક્ષત્રમાં થતા રોગ એક માસ અર્થાત 30 દિવસમાં ઠીક થાય છે.
- ભરણી, આશ્લેષા, મૂલ, મિશ્રસંજ્ઞક કૃતિકા-વિશાખા, આદ્રા અને મઘા આ સાત નક્ષત્રોમાં સર્પદંશ હોય અથવા કોઈ ઝેરીલી જંતુ કાપે તો મૃત્યુ થઈ જાય છે.
- જો સાપ કરડેલ વ્યક્તિની રાશિથી ચંદ્રમા ચોથા, આઠમા, 12મો હોય અથવા ચંદ્રમ કમજોર હોય તો મૃત્યુ થવાની આશંકા રહે છે.