જાણો નવરાત્રીમાં ક્યારે અને કેવી રીતે કરશો કન્યા પુજન
નવરાત્રીનો સમય એટલે દરેક ઘર-ઘર અને મંદિરોમાં માતાની પુજા કરવાનો સમય. જેમાં અનેક વિધી વિધાનો અને મંત્રો દ્વાર માતાને ખુશ કરવા પ્રયત્ન થાય છે. નવરાત્રીનો સમય એટલે માતાની ભક્તિમાં ડુબી જવાનો સમય. આ નવ દિવસ હિંદુ શાસ્ત્રો પ્રમાણે અતિ શુભ મનાય છે. જેમાં દરરોજ માતાના નવે નવ સ્વરુપોને રીઝવવા અનેક શાસ્ત્રીય વિધી-વિધાનો કરવામાં આવે છે. તેમાંની જ એક છે કન્યા પુજન.

પ્રાચિન કાળથી કન્યા બચાઓ અભિયાનને ધર્મ સાથે જોડી દેવાયુ છે. તેના ફળ સ્વરુપે આજે પણ નવરાત્રીના પવિત્ર દિવસોમાં કન્યાઓનુ પુજન કરવામાં આવે છે. આ દમિયાન સ્ત્રીના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે, જે સ્ત્રીના વ્યકિતત્વમાં પહેલેથી હોય છે. નવરાત્રીના નવ દિવસ સુધી ઘર-ઘરે સ્ત્રીઓનુ પુજા થાય છે.

શાસ્ત્રાનુસાર કન્યા પુજન પાછળનુ ધાર્મિક કારણ
નવરાત્રીના આઠમાં દિવસે કન્યા પુજન પાછળ આપણા ઋષીમુનીઓનો ઉદેશ્ય 'કન્યા પુજન, કન્યા અત્યાચાર રોકો ' નો હતો. તે સમયે વિજ્ઞાન એટલુ ન્હોતુ વિકસ્યુ કે ભ્રુણ હત્યા થઈ શકે, માટે દિકરીઓ પર અત્યાચાર કરવામાં આવતા હતા. દિકરા-દીકરીમાં ભેદભાવ કરવામાં આવતો અને દિકરીઓ પર પોતાના નિર્ણયો થોપાતા. આ અત્યાચારોને રોકવા માટે આપણા મુનીઓ એ કન્યા પુજનનુ વિધાન રાખ્યુ હતું.

કયા દિવસે કરશો કન્યા પુજન
આમ તો નવરાત્રીના નવે નવ દિવસ કન્યાઓને ભોજન કરાવવુ લાભપ્રદ ગણાય છે. શાસ્ત્રો મુજબ કન્યા પુજન માટે આઠમનો દિવસ સૌથી સારો મનાય છે. નવરાત્રીના નવે-નવ દિવસના ઉપવાસ કરનારાઓએ નવમીના દિવસે કન્યા પુજન કર્યા બાદ ભોજન કરવુ.

કન્યા પુજનની વિધી
એક દિવસ અગાઉથી કન્યાઓને આમંત્રણ આપવુ જોઈએ. ત્યારબાદ બીજા દિવસે કન્યાઓનુ પુજન કરવુ. નવ કન્યાઓ સાથે એક છોકરો પણ હોવો જોઈએ. નવ કન્યાઓ સાથે એક છોકરાનુ પણ પુજન કરવુ. કન્યાઓ જ્યારે ઘરે આવે તે સમયે તેમના પર પુષ્પ વર્ષા કરી માતા દુર્ગાના નવે નામોનુ ઉચ્ચારણ કરી જયજયકાર કરવો જોઈએ.

ત્યારબાદ આ કન્યાઓને સ્વચ્છ આસન પર બેસાડી દુધ વડે તેમના પગ ધોવા જોઈએ. તેમના માથા પર કુમકુમ ચાંદલો કરી પુષ્પ વર્ષા કરવી જોઈએ. માતા ભગવતીનુ ધ્યાન કરી દેવી સ્વરુપ આ નવ કન્યાઓને તેમના પસંદનુ ભોજન કરાવવુ જોઈએ. ભોજનબાદ તમારી શક્તિ મુજબ તેમને કપડા, ઉપહાર કે દક્ષિણા આપી ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ લેવા જોઈએ.

સૂચના-નવરાત્રી સિવાય પણ દર મહિને એક વખત નવ કન્યાઓનુ પુજન કરી ભોજન કરાવવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવશે નહિં અને તમારી બધી ઈચ્છાઓ પુરી થશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
