Navratri 2024: અલગ હોય છે વિજયાદશમી અને દશેરા? જાણો શું છે અંતર
Vijayadashami 2024, Dussehra 2024, Navratri 2024: શિર્ષક વાંચીને તમને થોડી નવાઈ તો લાગી હશે. કારણે કે સમાન્ય રીતે આપણે વિજયાદશમી અને દશેરાને એક જ ગણતા હોઈએ છીએ. કેમ કે બંને એક જ દિવસે આવે છે. આસો સુદ દશમ એટલે કે નવરાત્રીના છેલ્લા નોરતા બાદ.
જોકે, તમે બંને તહેવારોને સમાન માનતા હોય તો તમારે પહેલા આ અહેવાલ વાંચવો જોઈએ. જેનાથી તમારા મનમાં ઉઠતા સવાલોનો જવાબ તમને મળી જશે.
વિજયાદશમી અને દશેરા વચ્ચે મોટો તફાવત છે. વિજયાદશમીનો તહેવાર માતા દુર્ગા સાથે સંબંધિત છે. જ્યારે દશેરાનો તહેવાર ભગવાન રામ સાથે સંબંધ ધરાવે છે.
વિજયાદશમી - હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયાદશમી દર વર્ષે આસો માસના શુક્ત પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર માતા દુર્ગા સાથે જોડાયેલો છે.
એક દંતકથા અનુસાર, મહિષાસુરે ભગવાન બ્રહ્માને તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા અને તેમના વરદાન માંગ્યું હતું કે, તેમને કોઈ પુરૂષ મારી શકે નહીં.
ત્યારે ભગવાન બ્રહ્માએ તેમને આ વરદાન આપ્યું, જેના કારણે મહિષાસુરે ત્રણેય લોક પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. આમાંથી રાહત મેળવવા માટે, બધા દેવતાઓએ એક દૈવી શક્તિ પ્રગટ કરી હતી, જેના હાથમાં શસ્ત્રો હતા અને તેઓ સિંહ પર સવાર હતા.
જે બાદ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી આ શક્તિ અને મહિષાસુરનું યુદ્ધ ચાલ્યું હતું. જે બાદ આદિ શક્તિએ 10મા દિવસે મહિષાસુરનો વધ કર્યો. તેથી આસો સુદ દશમની તિથિએ વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

દશેરા - દશેરા હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે ભગવાન શ્રી રામ સાથે સંબંધ ધરાવે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ત્રેતાયુગમાં આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. તેથી આ તિથિ પર દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે લોકો રાવણના પૂતળાનું દહન કરે છે.
આ વર્ષે ક્યારે ઉજવાશે દશેરા અને વિજયાદશમી - હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10:58 કલાકે શરૂ થશે.
આ તિથિ 13 ઓક્ટોબરની સવારે 09:08 કલાકે પૂરી થશે. આવી સ્થિતિમાં 12 ઓક્ટોબરના રોજ વિજયાદશમી અને દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
