Navratri 2024: અલગ હોય છે વિજયાદશમી અને દશેરા? જાણો શું છે અંતર
Vijayadashami 2024, Dussehra 2024, Navratri 2024: શિર્ષક વાંચીને તમને થોડી નવાઈ તો લાગી હશે. કારણે કે સમાન્ય રીતે આપણે વિજયાદશમી અને દશેરાને એક જ ગણતા હોઈએ છીએ. કેમ કે બંને એક જ દિવસે આવે છે. આસો સુદ દશમ એટલે કે નવરાત્રીના છેલ્લા નોરતા બાદ.
જોકે, તમે બંને તહેવારોને સમાન માનતા હોય તો તમારે પહેલા આ અહેવાલ વાંચવો જોઈએ. જેનાથી તમારા મનમાં ઉઠતા સવાલોનો જવાબ તમને મળી જશે.
વિજયાદશમી અને દશેરા વચ્ચે મોટો તફાવત છે. વિજયાદશમીનો તહેવાર માતા દુર્ગા સાથે સંબંધિત છે. જ્યારે દશેરાનો તહેવાર ભગવાન રામ સાથે સંબંધ ધરાવે છે.
વિજયાદશમી - હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયાદશમી દર વર્ષે આસો માસના શુક્ત પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર માતા દુર્ગા સાથે જોડાયેલો છે.
એક દંતકથા અનુસાર, મહિષાસુરે ભગવાન બ્રહ્માને તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા અને તેમના વરદાન માંગ્યું હતું કે, તેમને કોઈ પુરૂષ મારી શકે નહીં.
ત્યારે ભગવાન બ્રહ્માએ તેમને આ વરદાન આપ્યું, જેના કારણે મહિષાસુરે ત્રણેય લોક પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. આમાંથી રાહત મેળવવા માટે, બધા દેવતાઓએ એક દૈવી શક્તિ પ્રગટ કરી હતી, જેના હાથમાં શસ્ત્રો હતા અને તેઓ સિંહ પર સવાર હતા.
જે બાદ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી આ શક્તિ અને મહિષાસુરનું યુદ્ધ ચાલ્યું હતું. જે બાદ આદિ શક્તિએ 10મા દિવસે મહિષાસુરનો વધ કર્યો. તેથી આસો સુદ દશમની તિથિએ વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

દશેરા - દશેરા હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે ભગવાન શ્રી રામ સાથે સંબંધ ધરાવે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ત્રેતાયુગમાં આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. તેથી આ તિથિ પર દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે લોકો રાવણના પૂતળાનું દહન કરે છે.
આ વર્ષે ક્યારે ઉજવાશે દશેરા અને વિજયાદશમી - હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10:58 કલાકે શરૂ થશે.
આ તિથિ 13 ઓક્ટોબરની સવારે 09:08 કલાકે પૂરી થશે. આવી સ્થિતિમાં 12 ઓક્ટોબરના રોજ વિજયાદશમી અને દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
