For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Numerology: આ મૂલાંકવાળા લોકો રહે છે દેખાડાથી દૂર, બિલકુલ નથી ગમતો ખોટો ખર્ચ

By Desk
|
Google Oneindia Gujarati News

Numerology: કુંડળીના ગ્રહ અને નક્ષત્રની દશા જોઈને વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિની જન્મતારીખના આધારે મૂલાંક બને છે.

દરેક વ્યક્તિ કોઈને કોઈ અંક સાથે જોડાયેલો હોય છે. આ અંકનુ જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મૂલાંક વ્યક્તિના સ્વભાવ, તેના ગુણો, પસંદ અને નાપસંદ વગેરે વિશે પણ ઘણુ બધુ જણાવે છે. તમારો મૂલાંક જાણવા માટે તમારી જન્મતારીખના બધા અંકોનો સરવાળો કરી દો.

eight

જો કોઈ વ્યક્તિનો જન્મ મહિનાની 19મી તારીખે થયો હોય તો તે વ્યક્તિનો મૂલાંક 1 એટલે કે 1+9=10 હશે. તે જ રીતે, 1, 10, 19 અને 28 ના રોજ જન્મેલા લોકોનો મૂલાંક પણ 1 હશે.

આજે આપણે એ મૂલાંક વિશે વાત કરીશુ જે દેખાડાથી દૂર સાદુ જીવન જીવવાનુ પસંદ કરે છે. તેમને બિનજરૂરી ખર્ચ કરવાનુ બિલકુલ પસંદ નથી અને તેઓ બચત પર વધુ ધ્યાન આપે છે. 8 મૂલાંકવાળા લોકોને વધુ પડતો આરામ અને સુવિધાઓ પસંદ નથી. આવો જાણીએ 8 મૂલાંકના લોકો વિશે રસપ્રદ વાતો...

B'day: એક ફિલ્મથી આટલા કરોડ કમાય છે વરુણ ધવન, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશોB'day: એક ફિલ્મથી આટલા કરોડ કમાય છે વરુણ ધવન, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશો

અંકશાસ્ત્ર મુજબ મૂલાંક 8ના લોકોને દેખાડો કરવાનુ બિલકુલ પસંદ નથી. તેઓ તેમના દરેક કામ પોતાની રીતે કરે છે અને તેમને કોઈની દખલગીરી પસંદ નથી. તે ખુશામત કરતા નથી. તેઓ જેવા અંદરથી હોય છે, તેમ જ તેઓ બહારથી પણ હોય છે. આ મૂલાંકના લોકો ગોળ ગોળ વાતો કરતા નથી. તેઓ હૃદયના ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે.

મૂલાંક 8ના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તે સખત મહેનત કરવામાં માને છે. તેઓ નિશ્ચય સાથે સૌથી મોટા પડકારોનો પણ સામનો કરે છે. તેમને ભીડમાં રહેવુ ગમતુ નથી. તે પોતાનુ લક્ષ્ય હાંસલ કરવા સખત મહેનત કરે છે. જો તેઓ કોઈ કામ કરવાનુ નક્કી કરે તો તે પૂર્ણ કર્યા પછી જ જંપે છે.

Today's IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - DC vs SRHToday's IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - DC vs SRH

આ મૂલાંકના લોકો પૈસાના મામલામાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે. તેઓ દેખાડા પર વધુ ખર્ચ કરવાનું પસંદ કરતા નથી. તે પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ગંભીર હોય છે. આ સ્થિતિમાં તેઓ વધુ બચત કરવાનું પસંદ કરે છે.

શનિ 8 મૂલાંકના લોકોનો સ્વામી છે. આ સ્થિતિમાં શનિદેવનો પ્રભાવ તેમના પર રહે છે. આ મૂલાંકના લોકો ખૂબ જ રહસ્યમય કહેવાય છે. કેટલીકવાર લોકો માટે તેમને સમજવુ ખૂબ મુશ્કેલ હોય છે. ઘણીવાર તેઓ પોતાના દિલની વાત ખુલીને કહી શકતા નથી. તેઓ જીવનમાં ખૂબ ધીમે ધીમેઆગળ વધે છે.

હીટવેવથી જીવનને સૌથી વધુ જોખમ, યુરોપમાં 15 હજારથી વધુ મોત, જાણો યુએન ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટહીટવેવથી જીવનને સૌથી વધુ જોખમ, યુરોપમાં 15 હજારથી વધુ મોત, જાણો યુએન ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટ

English summary
Numerology: Mulank 8 people traits, hates show off and wasting money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X