Pearl Stone Benefits : જીવનની ઘણી સમસ્યાઓ થાય છે દૂર, જાણો ફાયદા અને ધારણ કરવાની રીત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, ધન અને મીન રાશિના લોકો મોતી ધારણ કરી શકે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઉચ્ચ અથવા સકારાત્મક છે, તેઓ પણ મોતી ધારણ કરી શકે છે.
Pearl Stone Benefits : ગ્રહોના શુભ પ્રભાવમાં વધારો કરવા તેમજ અશુભ પ્રભાવમાં ઘટાડો કરવા માટે રત્ન શાસ્ત્રમાં ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. રત્નોમાં એક મોતીનો પણ સમાવેશ થાય છે.

મોતીને મહત્વપૂર્ણ રત્ન માનવામાં આવે છે. મોતીનો રંગ સફેદ કે ક્રિમ રંગનું હોય છે અને તેને ચંદ્રનો કારક રત્ન માનવામાં આવે છે. જે ચંદ્રની જેમ શાંત, સુંદર અને શીતળ હોય છે.

મોતી ધારણ કરવાના ફાયદા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મગજ અને મન પર ચંદ્રની સૌથી વધુ અસર થાય છે. આવી સ્થિતિમાં મનને શાંત અને મનને સ્થિર રાખવા માટેલોકો મોતી ધારણ કરે છે. બીજી તરફ જે લોકો ખૂબ ગુસ્સે થાય છે અથવા ડિપ્રેશનમાં હોય છે, તેઓ પણ મોતી પહેરી શકે છે.

કોણ ધારણ કરી શકે છે મોતી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, ધન અને મીન રાશિના લોકો મોતી ધારણ કરી શકે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઉચ્ચઅથવા સકારાત્મક છે, તેઓ પણ મોતી ધારણ કરી શકે છે.

મોતી કેવી રીતે અને ક્યારે ધારણ કરવું
મોતીને હંમેશા ચાંદીની વીંટીમાં ધારણ કરવું જોઇએ. મોતી રત્ન ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે, તેથી તેને સોમવારની સવારે પહેરવું જોઈએ. આ વીંટી હાથની સૌથી નાની આંગળીમાં પહેરવી જોઈએ.

મોતી પહેરવાના ગેરફાયદા
મોતી પહેરવાથી કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. તેથી તેને પહેરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. જો તમે લાગણીશીલ છો અથવાગુસ્સો કરવાની સંભાવના ધરાવતા હો, તો તમારે મોતી ન પહેરવું જોઈએ, કારણ કે, તે તમારી લાગણીઓને વધુ તીવ્ર બનાવી શકે છે.

આ રાશિના જાતકોને થશે નુકસાન
વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોએ મોતી ધારણ કરવું જોઇએ નહીં. આ સાથે શુક્ર, બુધ અને શનિની રાશિવાળા લોકોએપણ મોતી ન પહેરવા જોઈએ.
આ રાશિના લોકોને મોતી પહેરવાથી સકારાત્મક પરિણામ નથી મળતું. આ સાથે લાગણીશીલ લોકોએ પણમોતી પહેરવાનું ટાળવું જોઈએ.

આ રત્નો સાથે મોતી ન ધારણ કરો
બીજી તરફ જે લોકોને મોતી પહેરવાની સલાહ આપવામાં આવી છે, તેમને પહેરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેઓએ પહેલાથી જનીલમ, ગોમેદ અને હીરા ધારણ કર્યો નથી. આ રત્નો સાથે મોતી ધારણ કરવાથી તે નકારાત્મક પરિણામો આપવા લાગે છે.

જળ તત્વની સમસ્યા
જે લોકોની કુંડળીમાં 12 મા કે 10 મા ભાવમાં ચંદ્ર હોય, આવા લોકોએ મોતી ન ધારણ કરવા જોઈએ. આ સાથે જો તમને શરીરમાં કફ,પાણીના તત્વ જેવી સમસ્યા હોય, તો તમારે મોતી પહેરવાનું ટાળવું જોઈએ. અન્યથા સમસ્યા ઓછી થવાને બદલે વધી જાય તેવી શક્યતાછે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
