Pitru Dosh Tips : પિતૃ દોષ નિવારણ માટે કરો આ ઉપાય, ઘરમાં રહેશે ખુશીઓનો માહોલ

Pitru Dosh Tips : ધર્મ શાસ્ત્રમાં પિતૃ દોષ પર વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, પિતૃ ઘર પરિવારની સુખ શાંતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પિતૃને ખુશ રાખવા માટે ભાદરવાના કૃષ્ણ પક્ષમાં 15 દિવસ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃનો આશીર્વાદ મળે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃઓને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના વિશે આ અહેવાલમાં ચર્ચા કરવા જઇ રહ્યા છીએ, જેથી કરીને તમે તેને અપનાવીને પિતૃ દોષથી મુક્તિ મેળવી શકો છો.

pitru dosh

પિતૃ દોષમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો

મૃત વ્યક્તિનું ચિત્ર હંમેશા ઘરની દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ. એટલું જ નહીં મંદિર, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ કે રસોડામાં ક્યારેય પણ તેમનો ફોટો ન લગાવવો જોઈએ. તેનાથી ઘરના સુખ, શાંતિ અને દાંપત્ય જીવન પર ખરાબ અસર પડે છે. આટલું જ નહીં, પૂર્વજોનો ફોટો એવી જગ્યાએ ન લગાવો કે, તમારી નજર હંમેશા તેના પર પડતી રહે.

બીજી તરફ પૂર્વજોની દિશા હોવાથી દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય મુખ્ય દરવાજો હંમેશા સાફ રાખવો જોઈએ. તેની સામે કચરો વિખેરવો જોઈએ નહીં, તેનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર પર જળ અર્પણ કરો.

ગીતાના તમામ અધ્યાયો વાંચી શકાય, તો સારું રહેશે. જો તમે બધા પ્રકરણો ન કરી શકતા હો, તો પિતૃ મુક્તિ સંબંધિત સાતમો પાઠ ચોક્કસપણે વાંચો. તેનાથી પિતૃઓને મોક્ષ મળશે.

ઉલ્લેખનીય છે કે, ગીતામાં અઢાર અધ્યાય છે અને પિતૃપક્ષના 16 દિવસ છે. તેથી જે દિવસે શ્રાદ્ધ કરવામાં આવે, તે દિવસે ગીતાના બે અધ્યાયનો પાઠ કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X