Pitru Paksha 2022: શ્રાદ્ધથી મૃત અને જીવિત બધાનુ થાય છે કલ્યાણ
પિતૃપક્ષના દિવસે મૃતક સ્વજનનુ શ્રાદ્ધ કરવાથી મૃત આત્માને શાંતિ, સંતોષ અને મુક્તિ મળે છે અને શ્રાદ્ધ કરનાર વ્યક્તિને...
નવી દિલ્લીઃ શાસ્ત્રોમાં શ્રાદ્ધપક્ષનો મહાન મહિમા જણાવવામાં આવ્યો છે. પિતૃપક્ષના દિવસે મૃતક સ્વજનનુ શ્રાદ્ધ કરવાથી મૃત આત્માને શાંતિ, સંતોષ અને મુક્તિ મળે છે અને શ્રાદ્ધ કરનાર વ્યક્તિને સુખ-સમૃદ્ધિ મળે છે અને મૃત્યુ પછી વ્યક્તિ જીવન-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ સાચી ભક્તિ સાથે પિતૃઓનુ શ્રાદ્ધ કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સંસાર ચક્રમાં ફરી આવતો નથી. તેથી જ કહેવાય છે કે પિતૃઓની તૃપ્તિ સાથે જ જીવે પોતાના કલ્યાણ માટે પણ શ્રાદ્ધ કરવુ જોઈએ.

મહર્ષિ સુમંતુએ કહ્યુ છે કે આ સ્થાનમાં શ્રાદ્ધથી શ્રેષ્ઠ બીજો કોઈ કલ્યાણપ્રદ માર્ગ નથી, તેથી માણસે ખંતથી શ્રાદ્ધ કરવુ જોઈએ. શ્રાદ્ધ કરનારની ઉંમર વધે છે, પુત્ર પ્રાપ્તિ કરાવીને કુળ પરંપરા અકબંધ રહે છે, ધન-ધાન્યનો ભંડાર ભરાય છે, શરીરમાં બળ અને પુરુષાર્થનો સંચાર થાય છે. પ્રસિદ્ધિનો વિસ્તાર કરીને તે તમામ પ્રકારના સુખ પ્રદાન કરે છે.
શ્રાદ્ધનુ પુણ્ય મળે છે
માર્કંડેય પુરાણ કહે છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયા પછી પિતૃઓ કર્મ કરનારને લાંબુ આયુષ્ય, સંતાન, સંપત્તિ, શિક્ષણ, રાજ્ય, સુખ, સ્વર્ગ અને મોક્ષ આપે છે. શ્રાદ્ધ વિશે એવુ પણ કહેવામાં આવ્યુ છે કે જે વ્યક્તિ શ્રાદ્ધની વિધિ જાણીને અન્ય વ્યક્તિને શ્રાદ્ધ કરવાની સલાહ આપે છે, શ્રાદ્ધનુ અનુમોદન આપે છે, તેને પણ શ્રાદ્ધનુ પુણ્ય મળે છે.
શ્રાદ્ધ ન કરવાથી નુકશાન
પોતાની મહાયાત્રામાં એક પ્રાણી તેના ભૌતિક શરીરને લઈ જઈ શકતુ નથી તો તેને ખોરાક અને પાણી કેવી રીતે મળે છે. શ્રાદ્ધ વિધિ દ્વારા તેમના સંબંધીઓ દ્વારા તેમને જે કંઈ આપવામાં આવે છે તે જ તેમને મળે છે. પિંડ દાન વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે. સૌ પ્રથમ, અંતિમયાત્રાના સમયે છ પિંડ આપવામાં આવે છે, જેનાથી ભૂમિના પ્રમુખ દેવતાઓને પ્રસન્નતા થાય છે અને ભૂત-પિશાચના અવરોધોને દૂર થાય છે. દશગાત્રમાં અપાતા દસ પિંડોમાંથી જીવને અતિવાહક સુક્ષ્મ શરીર મળે છે. હવે આગળ તેને રસ્તામાં ખોરાક અને પાણીની જરૂર છે, જે તેને ઉત્તમષોદશીમાં આપવામાં આવેલા પિંડ દાનમાંથી મળે છે. જો સગા-વહાલા, પુત્ર-પૌત્રો વગેરે દ્વારા તેને આપવામાં ન આવે તો તેમને ત્યાં ભૂખ-તરસને લીધે ત્યાં ઘણુ દુઃખ થાય છે. અને જ્યારે તેમને કષ્ટ થાય છે તો તે શ્રાદ્ધ ન કરતા સ્વજનોને પગલે-પગલે દુઃખ આપે છે. મૃત પ્રાણી બાધ્ય થઈને શ્રાદ્ધ ન કરનાર સ્વજનોનુ લોહી ચૂકવા લાગે છે. બ્રહ્મા પુરાણના નાગર ખંડમાં કહેવાયુ છે કે પીડિત મૃત પ્રાણી પરિવારને શ્રાપ આપે છે. પછી તે શાપિત પરિવારને જીવનભર ભોગવવુ પડે છે. તે કુટુંબમાં પુત્રનો જન્મ થતો નથી, બધા બીમાર રહે છે. કોઈનુ આયુષ્ય લાંબુ હોતુ નથી. મૃત્યુ પછી પણ નરકમાં જવુ પડે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
