Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pitru Paksha Upay 2023 : જો આવા સંકેત મળે, તો આસપાસ છે તમારા પૂર્વજ

Pitru Paksha Upay 2023 : હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ 15 દિવસો સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે, આ દરમિયાન પૂર્વજો મૃત્યુલોક પર આપણને મળવા આવે છે.

જો તમને પિતૃ પક્ષ દરમિયાન તમારી આસપાસ અમુક સંકેતો દેખાય છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે, તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર છે. કેટલાક સંકેતો શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલાક અશુભ પણ હોઈ શકે છે.

Pitru Paksha Upay 2023

ઘરમાં ઉગતું પીપળનું ઝાડ - જો ઘરમાં અચાનક પીપળનું ઝાડ દેખાય, તો તે તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર હોવાનો સંકેત આપે છે. તે તમારા પૂર્વજો તમારાથી નારાજ હોવાનો સંકેત પણ હોય શકે છે. આવી સ્થિતિમાં પીપળના ઝાડને હટાવવાને બદલે પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય કરવા જોઈએ.

લાલ કીડીઓ દેખાવવી - પિતૃ પક્ષ દરમિયાન જો તમારા ઘરમાં અચાનક ઘણી લાલ કીડીઓ દેખાય છે, અને તમને તેમના આવવાનું કારણ ખબર નથી, તો આ પૂર્વજોની હાજરીનો સંકેત પણ હોય શકે છે. કારણ કે, એવું માનવામાં આવે છે કે, તમારા પૂર્વજો કીડીના રૂપમાં તમને મળવા આવે છે. આવી સ્થિતિમાં તમારે કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. તેનાથી પિતૃઓને શાંતિ મળે છે.

તુલસીનો છોડ સૂકાઇ જવો - હિંદુ ધર્મમાં તુલસીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકવા લાગે છે, તો તે પૂર્વજોની હાજરીનો સંકેત પણ હોય શકે છે. આ ઉપરાંત પૂર્વજોની નારાજગીનો પણ સંકેત છે.

આવી સ્થિતિમાં તમારે તમારા પૂર્વજોની શાંતિ માટે ઉપાય કરવા જોઈએ. પિતૃપક્ષના 16 દિવસ સુધી પિતૃઓના નામના સ્તોત્રનો પાઠ કરો અને તેમને જળ અર્પણ કરો. તેનાથી પિતૃ દોષમાંથી રાહત મળે છે.

કાળો કૂતરો દેખાવો - જો તમને અચાનક તમારા ઘરની આસપાસ કાળો કૂતરો દેખાય છે, તો તે તમારી આસપાસ પૂર્વજોની હાજરીનો સંકેત હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, કાળો કૂતરો પૂર્વજોનો સંદેશવાહક હોય શકે છે. આ સંકેતને શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, તમારા પૂર્વજો તમારાથી ખુશ છે.

કાગડો ઘરમાં આવવો - પિતૃપક્ષમાં કાગડાનું વિશેષ મહત્વ છે. જો પિતૃપક્ષ દરમિયાન કાગડો તમારા ઘરે આવે છે, અને ખોરાક ખાય છે, તો તેનો અર્થ એ છે કે, તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર છે અને તેઓ તમને તેમના આશીર્વાદ આપી રહ્યા છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન કાગડાઓ માટે દરરોજ ભોજન બનાવવું જોઈએ. આમ કરવાથી તમારા પૂર્વજોની કૃપા તમારા પર બની રહે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X