Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર બનશે પુષ્ય નક્ષત્ર, આ ચાર રાશિઓ થશે માલામાલ
Makar Sankranti 2025: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું ઘણુ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકરા રાશિમાં ગોચર કરે છે. આ સાથે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે, જે કારણે આ તહેવારને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે.
મકરસંક્રાંતિના દિવસે દાનનું ઘણુ મહત્વ છે. આ તહેવાર પર લોકો તલની ચીકી, શેરડી અને લાપસી ખાય છે. આ સાથે લોકો પતંગ ચગાવે છે. આખો દિવસ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે છે. આ સાથે લોકો ગાયને ધાસચારો ખવડાવે છે.
મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું ઘણુ મહત્વ છે. જેઓ ગંગા સ્નાન નથી કરી શકતા તેઓએ ગંગાજળથી સ્નાન કરી શકે છે. સૂર્ય દેવને કાળા તલ નાખીને અર્ધ ચડાવવામાં આવે છે. આ સૂર્ય દેવની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે.
પુષ્ય નક્ષત્રનો સંયોગ - આ વર્ષે મકરસંક્રાંતિ પર દુર્લભ પુષ્ય નક્ષત્ર રચાઈ રહ્યું છે, જે સવારે 10:17 કલાકે શરૂ થશે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. આ શુભ સંયોગમાં, શનિદેવના આશીર્વાદ મેળવવા માટે પૂજા અને દાન વિશેષ ફળદાયી રહેશે.
કર્ક રાશિ માટે કેવી રહેશે મકરસંક્રાંતિ - કર્ક રાશિ પર શનિદેવના વિશેષ આશીર્વાદ વરસશે. બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે, નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે, અને શુભ કાર્યોમાં સફળતા મળશે. શત્રુઓનો પરાજય થશે, અને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે.
ઉપાય: ભગવાન શિવને કાળા તલ અને કાચા દૂધથી અભિષેક કરો.
તુલા રાશિ માટે કેવી રહેશે મકરસંક્રાંતિ - તુલા રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મળશે. સાસરિયા પક્ષ તરફથી આર્થિક લાભ થશે અને બુદ્ધિમાં વધારો થશે. દાન કાર્યોમાં ભાગ લેવાથી શુભ પરિણામો મળશે.
ઉપાય: દૂધ, સફેદ તલ અને સફેદ વસ્ત્રોનું દાન કરો.

મકર રાશિ માટે કેવી રહેશે મકરસંક્રાંતિ - મકર રાશિના સ્વામી શનિદેવ છે અને પૂજનીય ભગવાન શિવ છે. આ લોકોને મકર રાશિમાં સૂર્યદેવના ગોચરનો લાભ મળશે. બાકી રહેલા કામ પૂર્ણ થશે, તણાવ ઓછો થશે અને આવક વધશે.
ઉપાય: કાળા તલનું દાન કરો.
કુંભ રાશિ માટે કેવી રહેશે મકરસંક્રાંતિ - કુંભ રાશિના લોકો માટે આ દિવસ ખાસ કરીને ફળદાયી રહેશે. શનિદેવના આશીર્વાદથી બધા કાર્ય સફળ થશે અને જીવનમાં ખુશીઓ આવશે.
ઉપાય: શનિદેવને કાળા તલ અર્પણ કરો.
મકરસંક્રાંતિનો તહેવાર ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે કર્મ, દાન અને ધ્યાનનો સંદેશ પણ આપે છે. શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદ મેળવવા અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે યોગ્ય પગલાં લો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
