Pushya Nakshatra: 24 કલાક 42 મિનિટ રહેશે પુષ્ય નક્ષત્રની ખરીદીનુ મહામૂહુર્ત
દિવાળી પહેલા આ વખતે 7 અને 8 નવેમ્બરે નક્ષત્રોના રાજા બે દિવસ પોતાની ચમક ફેલાવશે.
નવી દિલ્લીઃ દિવાળી પહેલા આ વખતે 7 અને 8 નવેમ્બરે નક્ષત્રોના રાજા બે દિવસ પોતાની ચમક પ્રસરાવશે. પુષ્ય નક્ષત્રમાં બધા પ્રકારની ખરીદી શુભ અને સ્થાયી હોય છે. માટે આ દિવસે સોનુ, ચાંદી, આભૂષણો, વસ્ત્ર, ભૂમિ, ભવન, વાહન ખરીદવુ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વખતે પુષ્ય નક્ષત્રની ચમક 24 કલાક અને 42 મિનિટ સુધી રહેશે. સર્વફળદાયી પુષ્ય નક્ષત્ર 7 નવેમ્બર શનિવારે 8.04 મિનિટથી પ્રારંભ થઈને આગલા દિવસે 8 નવેમ્બર રવિવારે સવારે 8.46 મિનિટ સુધી રહેશે. નક્ષત્રનો કુલ સમયગાળો 24 કલાક અને 42 મિનિટ રહેશે. રવિવારે સૂર્યોદય પછી લગભગ 2 કલાક સુધી નક્ષત્રનુ વિદ્યમાન રહેવુ શુભફળ આપશે. માટે શનિવાર સાથે રવિવારને પણ આખો દિવસ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરી શકાશે. શનિવાર તેમજ રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ શનિ પુષ્ય તેમજ રવિ પુષ્ય નક્ષત્ર કહેવાશે.

સર્વાર્થસિદ્ધિ તેમજ રવિયોગનો સંયોગ
પુષ્ય નક્ષત્રમાં દરેક પ્રકારની ખરીદી સ્થાયી સમૃદ્ધિ આપશે. ખાસ વાત એ છે કે પુષ્ય નક્ષત્રની સાક્ષીમાં સર્વાર્થસિદ્ધિ તેમજ રવિયોગનો સંયોગ પણ રહેશે. શુભકાર્ય તેમજ ખરીદી માટે આવા મહામૂહુર્તનો સંયોગ ખૂબ જ ઓછો બનતો હોય છે. આ દિવસે ભૂમિ, ભવન, વાહન, ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો, સોનુ, ચાંદી, વીમા પોલિસી વગેરેની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છે.

કેમ શુભ હોય છે પુષ્ય નક્ષત્ર
વૈદિક જ્યોતિષ અનુસાર પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ તેમજ ઉપ સ્વામી કે દેવતા બૃહસ્પતિ છે. શનિ સ્થાયિત્વનુ પ્રતીક છે અને બૃહસ્પતિ વૃદ્ધિકારક દેવતા છે. માટે પુષ્ય નક્ષત્રમાં જે પણ ખરીદી કરવામાં આવે છે તેમાં ક્યારેય ઉણપ નથી આવતી અને તે ક્યારેય નષ્ટ નથી થતી. વળી, સ્થાયી રહીને તેમાં વૃદ્ધિ થાય છે.

પુષ્ય નક્ષત્રમાં શું કરવુ
- પુષ્ય નક્ષત્રમાં સોનુ ખરીદવુ સૌથી શુભ માનવામાં આવે છે.
- આ દિવસે કોઈ પણ પીળી વસ્તુ ખરીદવી જોઈએ. ભલે તમે પિત્તળના વાસણો ખરીદો, પીળા અનાજનુ ભંડારણ કરો કે પીળા વસ્ત્રો ખરીદો.
- પુષ્ય નક્ષત્રના દિવસો સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનુ પૂજન કરીને તેમને પીતાંબર ધારણ કરાવો. પીળા ફલોનુ નૈવેધ ધરાવો.
- પુષ્ય નક્ષત્રમાં મા લક્ષ્મીને કેસરની ખીરનુ નૈવેધ ધરાવવાથી સર્વસુખ પ્રાપ્ત થાય છે.
- આ દિવસે સોનુ અને પોખરાજ ધારણ કરવુ જોઈએ.
- જે યુવક, યુવતીઓના લગ્નમાં અડચણો આવી રહી હોય, તે પુષ્ય નક્ષત્રમાં કાચા હળદરની ગાંઠ પીળા કપડામાં બાંધીને પૂજન કરીને પોતાની પાસે રાખે.
- આ દિવસે કેળાનો છોડ રોપવો શુભ માનવામાં આવે છે.
- પુષ્ય નક્ષત્રના દિવસે પ્રાતઃકાળ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સાફ, સ્વચ્છ કરીને દરવાજાની બંને તરફ હળદરથી સ્વસ્તિક બનાવીને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો કરવાથી લક્ષ્મીનુ આગમન થાય છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
