જાણો ભગવાન શિવને રાવણે કેવી રીતે કર્યા હતા પ્રસન્ન?
આજે રાવણની શિવભક્તિ સાથે જોડાયેલ એક સુંદર પ્રસંગ સાંભળીએ..
નવી દિલ્લીઃ અસુરરાજ રાવણનુ આખુ જીવન ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યુ. અપરિમિત ગુણોનો સ્વામી રાવણ બળ, જ્ઞાન, ભક્તિ બધામાં અતુલ્ય હતો. સંસાર રાવણને હંમેશા તેની બુરાઈઓ માટે યાદ કરે છે પરંતુ રાવણની ભક્તિ અને જ્ઞાનનુ ઉંડાણ એટલુ હતુ જેને માપવુ અસંભવ હતુ. સ્વયં મહાશિવ તેના સાક્ષી છે કારણકે રાવણ તેમનો પરમ ભક્ત હતો. રાવણે જે પરિમાણમાં ભગવાન શિવની ભક્તિ કરી, પોતાના અતુલ્ય તપથી જે રીતે તેમને પ્રસન્ન કરીને પોતાના બનાવી લીધા, તેની બરાબરી સંસારમાં કદાચ જ કોઈ કરી શક્યુ છે. આજે રાવણની શિવભક્તિ સાથે જોડાયેલ એક સુંદર પ્રસંગ સાંભળીએ..

પુષ્પક વિમાનમાં બેસીને કૈલાશ પર્વત પર પહોંચી ગયો
એ સમયની વાત છે જ્યારે રાવણ પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી ચૂક્યો હતો અને પોતાનુ સુવર્ણનગર વસાવી ચૂક્યો હતો. એ વખતે રાવણના મનમાં વિચાર આવ્યો કે તે સ્વયં તો સુવર્ણનગરીમાં રહે છે જ્યારે તેના દેવાધિદેવ મહાશિવ કૈલાશ પર્વત પર કેટલી અસુવિધાઓ વચ્ચે રહે છે. આ વિચાર આવતા જ રાવણ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને કૈલાશ પર્વત પર પહોંચી ગયો.

રાવણનો સામનો નંદી સાથે થયો
કૈલાશ પર્વત પર સૌથી પહેલા રાવણનો સામનો નંદી સાથે થયો. નંદીએ રાવણને આવવાનુ કારણ પૂછ્યુ. રાવણે જણાવ્યુ કે તે ભગવાન શિવને પોતાની સાથે લંકા લઈ જવા માટે આવ્યો છે. નંદીએ કહ્યુ કે ભગવાનને કૈલાશ પરમપ્રિય છે અને તે રાવણ સાથે ક્યારેય નહિ જાય. રાવણે કહ્યુ કે તે બળપૂર્વક ભગવાનને કૈલાશ સહિત ઉઠાવીને લંકા લઈ જશે. આ વાત પર નંદી અને રાવણનુ યુદ્ધ થઈ ગયુ અને સ્વાભાવિક રીતે નંદી પરાજિત થયા. આ તરફ સૃષ્ટિની દરેક ક્ષણનુ પૂર્વજ્ઞાન ધરાવનાર મહાશિવ આ યુદ્ધને જોઈને સ્મિત કરી રહ્યા હતા. છેવટે તેમના બે પરમ પ્રિય અનુગામી પ્રેમમાં ગળાડૂબ તેમના પર પોતાનો અધિકાર જતાવવા માટે લડી રહ્યા હતા. નંદીને પરાજિત કરીને રાવણે પોતાના બાહુબળથી કૈલાશને ધરતીથી ઉખાડીને એક તરફથી ઉઠાવ્યો.

રાવણની ભક્તિથી શિવ થયા પ્રસન્ન
આ વખતે મહાશિવે પોતાના પગનો એક અંગૂઠો ઉઠાવીને કૈલાશની ધરા પર રાખી દીધો. માત્ર અંગૂઠાના સ્પર્શ માત્રથી કૈલાસ પાછો ધરતીમાં ધસી ગયો અને તેની સાથે રાવણના હાથ પણ દબાઈ ગયા. રાવણ સમજી ગયો કે મહાશિવ તેનાથી અપ્રસન્ન થઈ ગયા છે. તેણે તરત જ શિવને પ્રસન્ન કરવા માટે ક્ષણમાત્રમાં રુ્દ્રાષ્ટકની રચના કરી દીધી અને ઉચ્ચ સ્વરમાં તેનો પાઠ કરવા લાગ્યો. રાવણની ભક્તિથી શિવજી અતિ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને તેને લંકા પાછો મોકલી દીધો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
