Relationship Tips : આ દિવસે પતિ-પત્ની ન બાંધે સંબંધ, સંતાન પાસેથી જીવનભર મળશે આ દુઃખ
Relationship Tips : હિન્દુ ધર્મમાં પતિ-પત્નીના સંબંધ બનાવવા માટે નિયમો આપવામાં આવ્યા છે. આમાં શારીરિક સંબંધ બનાવવા માટે અમુક દિવસો અને તારીખો પર પ્રતિબંધ હોવાનું કહેવાય છે.
Relationship Tips : પતિ-પત્ની વચ્ચે આત્મીય અને ભાવાત્મક હોવા જરૂરી છે. આ સાથે તેમની વચ્ચે શારીરિર સંબંધો બાંધવા પણ જરૂરી છે. આવામાં હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શારિરીક સંબંધ બાંધવા અંગે પણ જણાવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ક્યા દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. જેનાથી દેવી-દેવતાઓની કૃપા પણ વરસતી રહે છે, અને સુખ-સમૃદ્ધિ રહે છે.

ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓ અને પુરુષોને કેટલાક ખાસ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં પતિ-પત્નીના સંબંધોના કારણે જન્મેલા બાળકને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે આપણે જાણી લેવું જોઇએ કે, કયા દિવસોમાં પતિ-પત્નીએ સંબંધ બાંધવાથી દૂર રહેવું જોઈએ.
કયા દિવસોમાં સંબંધ બાંધવા ન જોઈએ
નવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દેવી માતાની પૂજામાં પસાર કરવો જોઈએ. તેની સાથે સાત્વિક આહાર લેવો જોઈએ અને મનમાં સારી ભાવનાઓ રાખવી જોઈએ. એટલા માટે આ સમય દરમિયાન શારીરિક સંબંધ બનાવવાની સખત મનાઈ છે.
અમાવસ્યાના દિવસે પતિ-પત્નીએ ક્યારેય સંબંધ બાંધવો જોઈએ નહીં, આમ કરવાથી તેમના સંબંધો પર નકારાત્મક અસર પડે છે. તેમજ આ દિવસે જન્મેલા બાળકનું ભવિષ્ય બહુ સારું નથી હોતું.
પૂર્ણિમાના દિવસે પણ પતિ-પત્નીએ સંબંધ ન બાંધવો જોઈએ. આ દિવસે અશુભ શક્તિઓ સક્રિય રહે છે.
સૂર્ય ગોચરને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. દર મહિનાની 13 થી 15 તારીખની વચ્ચે સૂર્ય ગોચર કરે છે. સંક્રાંતિ પર પણ શારીરિક સંબંધ ન બનાવો.
દરેક મહિનાની ચતુર્થી અને અષ્ટમીની તિથિ પણ પતિ-પત્નીના સંબંધ માટે શુભ માનવામાં આવતી નથી.
આ સાથે શારીરિક સંબંધ બાધવા માટે રવિવારને પણ યોગ્ય માનવામાં આવતો નથી.
પિતૃ પક્ષના 15 દિવસોમાં ક્યારેય સંબંધ બાંધવો જોઇએ નહીં. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. આ દરમિયાન મનમાં સંબંધ બાંધવાનો વિચાર પણ લાવવાની મનાઈ હોવાનું કહેવાય છે.
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે પણ સંબંધ ન બાંધવો જોઈએ. આનાથી જન્મેલા બાળકને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.
જ્યારે પણ તમે વ્રત રાખો તો તે દિવસે સંબંધ ન બાંધો, નહીં તો તમને વ્રતનું ફળ નહીં મળે. વ્રત દરમિયાન વ્યક્તિના શરીર અને મનની શુદ્ધતા હોવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
