remedies for marriage defects : લગ્ન માટે ક્યા ગ્રહ હોય છે જવાબદાર, જાણો લગ્ન દોષના ઉપાય

remedies for marriage defects : જો સૂર્ય, મંગળ, શનિ, રાહુ જેવા ગ્રહો સાતમા ભાવમાં બેઠા હોય અથવા સાતમા ઘરના સ્વામી સાથે જોડાય, તો લગ્નમાં વિલંબ થાય છે. આવામાં આજે આપણે લગ્નમાં વિલંબ દૂર કરવાના ઉપાયો જણાવીશું.

remedies for marriage defects : વૈદિક જ્યોતિષમાં લગ્ન થવા અંગે ગ્રહોની અસરો વિસ્તારથી જણાવવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, સપ્તમ, પંચમ અને નવમ ભાવના સ્વામી જો સારી સ્થિતિમાં હોય તો જાતકના લગ્ન સમયસર થઇ જાય છે.

remedies for marriage defects

આ સાથે ગુરુ શુક્ર ચંદ્ર જેવા ગ્રહો પણ શુભ અવસ્થામાં હોય તો આ શુભ અવસ્થામાં લગ્નમાં સહાયક સાબિત થાય છે. સપ્તમથી જીવનસાથી અને પંચમથી પ્રેમનો વિચાર કરવામાં આવે છે. ભાગ્ય ભાવ સદૈવ આ બંન્ને ભાવના સહાયક થાય છે.

જો સૂર્ય, મંગળ, શનિ, રાહુ જેવા ગ્રહો સાતમા ભાવમાં બેઠા હોય અથવા સાતમા ભાવના સ્વામી સાથે જોડાય, તો લગ્નમાં વિલંબ થાય છે.

આ સિવાય પુરુષની કુંડળીમાં સ્ત્રીનો કારક શુક્ર અને સ્ત્રીની કુંડળીમાં પતિનો કારક ગુરુ પીડિત હોય, તો લગ્ન મોડા થાય છે અને સુખ નથી મળતું.

આ સિવાય ચતુર્થ, સાતમા, આઠમા અને બારમા ભાવમાં માંગલિક 28 વર્ષ બાદ લગ્નની ખુશી આપે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રના નિયમો અનુસાર જો સાતમા ભાવમાં શનિ, રાહુ અને સૂર્ય હોય તો વ્યક્તિના લગ્ન બિલકુલ થતા નથી અને જો આવું થાય છે તો આધેડ વય બાદ થાય છે. આવી સ્થિતિમાં આ ખામીઓથી બચવાના ઉપાય વિશે જાણીશું.

જો છોકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો 21 સોમવારના રોજ વ્રત કરવું જોઈએ. પંચોપચાર માટે કાત્યાયની યંત્રની પૂજા કર્યા બાદ, તેને પૂજા ઘરમાં સ્થાપિત કરો અને દરરોજ ઘીનો દીવો પ્રગટાવીને મા પાર્વતીની પૂજા કરો.

જો છોકરાના લગ્નમાં વિલંબ થતો હોય, તો તેણે પીળા કપડા પહેરવા જોઈએ. તમારી નાભિ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ. આ સિવાય રેશમી રૂમાલ હંમેશા તમારી સાથે રાખવો જોઈએ.

જો કોઈ છોકરીના લગ્ન વારંવાર તૂટતા હોય, તો તે છોકરીએ શુક્લ પક્ષના સોમવારથી એક યુક્તિ કરવી પડશે. તમારે મંદિરમાં જઈને શિવ પાર્વતીની પૂજા કરીને નાડાછડી બાંધવી પડશે. તમારે આ 7 સોમવાર સુધી કરવાનું છે. આ સાથે તમારા લગ્ન થવાનીની સંભાવના વધી જશે.

પીપળના ઝાડ પર 43 દિવસ સુધી સતત જળ ચઢાવો. આ ઉપાય માત્ર રવિવાર અને માસિક ધર્મ દરમિયાન ન કરો.

શુક્લ પક્ષના ગુરુવારના રોજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને 5 ગ્રામ લોટના લાડુ ચઢાવો. આ પછી ભગવાન શ્રી વિષ્ણુને ચહેરાના ટોચ પર બાંધવામાં આવેલી શિખા અર્પણ કરો અને લગ્ન માટે પ્રાર્થના કરો. તમાપરા જલ્દી લગ્ન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X