For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sawan 2022 Zodiac : શ્રાવણ માસમાં આ રાશિના લોકોને મળશે ભોલેનાથના વિશેષ આશીર્વાદ

શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. આ મહિના પહેલા ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં લીન થઈ જાય છે અને ભગવાન શિવ વિશ્વની કમાન સંભાળે છે. આ વર્ષે શ્રાવણ મહિનો આજથી એટલે કે ગુરુવાર, 14 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.

|
Google Oneindia Gujarati News

Shravan 2022 Zodiac : શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. આ મહિના પહેલા ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં લીન થઈ જાય છે અને ભગવાન શિવ વિશ્વની કમાન સંભાળે છે. આ વર્ષે શ્રાવણ મહિનો આજથી એટલે કે ગુરુવાર, 14 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.

આ દરમિયાન, શિવભક્તો પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરે છે. તેઓ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણ સોમવારના રોજ ઉપવાસ કરે છે અને સાવન મહિનામાં વિશેષ પૂજા કરે છે.

આ 4 રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે શ્રાવણ માસ

આ 4 રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે શ્રાવણ માસ

આ મહિનામાં ભક્તો ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે વિવિધ પ્રયાસો કરે છે. જોકે ભગવાન ભોલેનાથ દરેક પર આશીર્વાદ વરસાવે છે,પરંતુ આ ત્રણ રાશિના લોકો માટે શ્રાવણનો આ મહિનો ખૂબ જ ફળદાયી રહેવાનો છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં ગ્રહોનીસ્થિતિ વિશેષ રહેશે અને ખાસ કરીને આ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. આવો જાણીએ તે કઈ રાશિઓ છે.

મેષ રાશિ

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. મેષ રાશિના લોકોને શિવની કૃપાથી અનેક વરદાન મળશે.

નોકરી અનેવ્યવસાયમાં પ્રગતિ થશે. ધન લાભ થશે. તમને સન્માન અને પ્રતિષ્ઠા પણ મળશે.

શ્રાવણ માસના સોમવારના રોજ શિવલિંગ પર જળઅર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમને ભગવાનભોલેનાથની કૃપાથી નવી નોકરી મળી શકે છે.

જે લોકો નોકરી કરી રહ્યા છે જેમને પ્રમોશનની ઈચ્છા છે, એવા લોકોની આ ઈચ્છા પણ શ્રાવણમહિનામાં પૂરી થઈ શકે છે.

વેપારીઓ માટે પણ આ સમય ઘણો સારો છે. શ્રાવણ માસમાં શિવજીની યથાશક્તિ પૂજા કરો.

મકર રાશિ

મકર રાશિ

શ્રાવણ માસમાં શિવજીની કૃપા મકર રાશિના લોકો પર જોવા મળશે. તેઓ નોકરી-ધંધામાં ભારે આર્થિક લાભ મેળવી શકે છે.

કેટલાકવતનીઓને નવી નોકરી મળી શકે છે. જીવનસાથી સાથે આ મહિનો સારો રહેશે.

શ્રાવણ માસમાં મહાદેવને જળથી અભિષેક કરવાથી લાભથશે.

મીન રાશિ

મીન રાશિ

શ્રાવણ માસમાં શિવજીની કૃપા મીન રાશિના જાતકો પર વિશેષ જોવા મળશે. આ રાશિના જાતકોને શ્રાવણ માસમાં બહોળો આર્થિક લાભ થશે.

આ સાથે મીન રાશિના જાતકોને સામાજિક રીતે પણ આદર અને સત્કાર મળશે. આ સાથે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું માન-મોભોવધશે.

English summary
Sawan 2022 Zodiac : People of this zodiac sign will get special blessings of Bholenath in Sawan 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X