Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sawan 2024: ક્યારે શરૂ થશે શ્રાવણનો મહિનો, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

Sawan 2024: શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે.

આ મહિનામાં ભગવાન શિવ શંકર તેમના ભક્તો પર અપાર આશીર્વાદ વરસાવે છે. શ્રાવણમાં કાવડ યાત્રા પણ કાઢવામાં આવે છે.

આ અહેવાલમાં આપણે જાણીશું કે, ઉત્તર ભારતમાં આ વર્ષે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે, અને કયા દિવસે પ્રથમ સોમવારે વ્રત રાખવામાં આવશે.

2024માં શ્રાવણ ક્યારે શરૂ થશે? - ઉત્તર ભારતમાં આ વર્ષે 22 જુલાઈ 2024થી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આખો મહિનો ભક્તો શિવ ભક્તિમાં મગ્ન રહેશે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રથમ શ્રાવણ સોમવારનું વ્રત 22મી જુલાઈએ જ રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. 19 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનો પૂરો થશે, આ દિવસે છેલ્લા શ્રાવણ સોમવારનું વ્રત રાખવામાં આવશે.

Sawan 2024

શ્રાવણ સોમવારનું મહત્વ - શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સોમવારના રોજ વ્રત રાખવાથી અવિવાહિત છોકરીઓને તેમની ઈચ્છિત જીવનસાથી મળે છે. તેની સાથે જ વ્યક્તિને શિવ અને ગૌરીની જેમ વિવાહિત જીવનનું સુખ મળે છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે, અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

2024 શ્રાવણ સોમવારના ઉપવાસની યાદી

  • પ્રથમ શ્રાવણ સોમવાર વ્રત - 22 જુલાઈ 2024
  • બીજો શ્રાવણ સોમવારનો ઉપવાસ - 29 જુલાઈ 2024
  • ત્રીજો શ્રાવણ સોમવારનો ઉપવાસ - 5 ઓગસ્ટ 2024
  • ચોથો શ્રાવણ સોમવારનો ઉપવાસ - 12 ઓગસ્ટ 2024
  • પાંચમો શ્રાવણ સોમવારનો ઉપવાસ - 19 ઓગસ્ટ 2024

શ્રાવણનું મહત્વ - શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભોલેનાથની પૂજામાં તલ્લીન રહે છે. સોમવારે ભક્તો ઉપવાસ રાખે છે.

એવી માન્યતા છે કે, બેલપત્ર અને જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જેના કારણે મનોકામના પૂર્ણ થાય છે.

શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરવા માટે ઘણા ધાર્મિક સ્થળોએ પણ જાય છે. આ માસમાં સોમવારના ઉપવાસ અને શ્રાવણમાં સ્નાન કરવાની પરંપરા છે.

લાખો ભક્તો પણ શ્રાવણમાં પગપાળા કાવડ યાત્રાએ જાય છે. આ મહિનામાં કાવડ યાત્રાનું પણ વિશેષ મહત્વ છે. તેમજ આ માસમાં સોળ સોમવારનું વ્રત કરવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવનસાથી મળે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X