Surya Gochar 2023 : કુંભ રાશિમાં સૂર્ય કરશે ગોચર, આ રાશિને થશે લાભ
Surya Gochar 2023 : રાશિ પરિવર્તન જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય ભગવાન કુંભ રાશિમાં ગોચર કરશે, જેની અસર તમામ રાશિઓ પર પડશે.
Surya Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવ દ્વારા કરવામાં આવતા રાશિ પરિવર્તનને અતિ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય કોઇ રાશિમાં પ્રવેશ કરે છે, તો તે સમય દરમિયાન અનધિ ભાવના ફળમાં જોરદાર વૃદ્ધિ જોવા મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનો રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીના રોજ પોતાની રાશિ બદલીને મકર રાશિથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ સૂર્ય ગોચરની અસર મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓને અસર કરશે, પણ આપણે એવી રાશિ વિશે જાણીશું જેમને સૂર્ય ગોચરને કારણે લાભ થશે.
મેષ રાશિ પર સૂર્ય ગોચરની અસર
મેષ રાશિ પર સૂર્ય ગોચરની શુભ અસર થશે. આ સમયગાળા દરમિયાન આવકના ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે અને નવા સ્ત્રોત અને લાભનીતકો ઉપલબ્ધ થશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે અને સુખ-સુવિધાઓમાં વધારો થશે તેવા સંકેતો છે, તેવી શક્યતા પણ વધુ છે.
મકર રાશિ પર સૂર્ય ગોચરની અસર
સૂર્ય રાશિ પરિવર્તન મકર રાશિ માટે સકારાત્મક રહેશે. આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. જે આર્થિક બાજુપણ મજબૂત થશે. જે લોકો રોજગારની શોધમાં છે, તેમને પણ આ સમયગાળામાં સફળતા મળશે.
સિંહ રાશિ પર સૂર્ય ગોચરની અસર
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન જીવનસાથી સાથે સમય સારો રહેશે અને વેપાર ક્ષેત્રે સફળતામળવાના સંકેતો છે. પાર્ટનરશીપમાં શરૂ કરેલા ધંધામાં સફળતા અને લાભની સંભાવના છે.