Surya Gochar 2023 : સૂર્ય કરશે કન્યા રાશિમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોની વધશે ધન-સંપતિ
Surya Gochar 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, સૂર્ય ગ્રહને માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને નોકરીનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ઉપરાંત સૂર્ય આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાનો પણ કારક ગ્રહ માનવામાં આવે છે. જે જાતકોની કૂંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં હોય છે, તેમની અંદર આત્મવિશ્વાસ પણ ઘણો વધારે હોય છે.
વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય ભગવાન લગભગ 1 મહિના સુધી કોઈપણ એક રાશિમાં રહે છે. આ રીતે સૂર્ય દર મહિના બાદ પોતાની રાશિ બદલે છે.

સૂર્યદેવ 17 સપ્ટેમ્બરની બપોરે સિંહ રાશિમાં તેમની યાત્રા સમાપ્ત કરશે, અને આગામી રાશિમાં કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ 17મી ઓક્ટોબર સુધી રોકાશે.
સૂર્યના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના લોકો પર પડશે, પરંતુ કેટલીક એવી રાશિઓ હશે, જેના પર સૂર્યનો શુભ પ્રભાવ પડશે. આ અહેવાલમાં જાણીશું કે, સૂર્ય જ્યારે પોતાની રાશિ બદલે છે, ત્યારે કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે.
મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર - 17 સપ્ટેમ્બરે સૂર્ય તમારી કુંડળીના ચોથા સ્થાનમાં ગોચર કરશે. સૂર્યનું રાશિચક્રમાં પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કામ ઝડપથી પૂર્ણ થશે.
જે લોકો છેલ્લા ઘણા દિવસોથી સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમને સારી સફળતા મળશે. તમારૂ નસીબ તમારો સાથ આપશે. આ સમય દરમિયાન માન અને પદમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિ પર સૂર્ય ગોચરની અસર - સૂર્યની રાશિ તમારી રાશિમાં બીજા સ્થાને આવી જશે. આવી સ્થિતિમાં તે તમારા માટે ઘણી રીતે શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થશે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે.
કાર્યસ્થળ પર તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. તમારા પૈસાને સારી જગ્યાએ રોકાણ કરવાથી તમને સારો નફો મળશે. તમને તમારા અટકેલા પૈસા પાછા મળશે, અને સમાજમાં તમારું સન્માન વધશે.
સૂર્ય ભગવાનનો પ્રભાવ, રાશિચક્રમાંથી બીજા ધન ગૃહમાં ગોચર, નાણાકીય પાસું મજબૂત બનાવશે. લાંબા સમયથી આપેલા પૈસા પાછા મળવાની આશા છે. ઘણા અણધાર્યા સુખદ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
ધન રાશિ પર સૂર્ય ગોચરની અસર - સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. નોકરીમાં પ્રમોશન અને આર્થિક લાભની સારી તકો છે.
આ સમયગાળા દરમિયાન આવનારા એક મહિના માટે તમને સારા નસીબ મળશે. આર્થિક સ્થિતિમાં સારો સુધારો થશે. પ્રભાવશાળી લોકોમાં તમારો દરજ્જો વધશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
