સૂર્યગ્રહણ 2019: જાણો આજે ભારતમાં ક્યાં ક્યાં અને કયા સમયે દેખાશે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ
વર્ષ 2019નુ અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે છે,આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે, 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણમાં છ ગ્રહ એક સાથે હશે.
વર્ષ 2019નુ અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે છે,આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે, 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણમાં છ ગ્રહ એક સાથે હશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1962માં બહુ મોટુ સૂર્યગ્રહણ થયુ હતુ જેમાં સાત ગ્રહ એકસાથે હતા. પૂર્ણ સૂર્યગ્રહણને દેશા દક્ષિણી ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગાં જોઈ શકાશે જ્યારે દેશના અન્ય ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણ રૂપે દેખાશે.
ત્રણ કલાકનુ સૂર્ય ગ્રહણ
26 ડિસેમ્બરના રોજ લગભગ ત્રણ કલાકનુ સૂર્યગ્રહણ થશે. તે સવારે 8:09 વાગે શરૂ થશે, 9:37 પર ગ્રહણનો મધ્યકાળ હશે અને 10:58 પર ગ્રહણનો મોક્ષ હશે, સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 વાગીને 36 મિનિટે સમાપ્ત થશે. સૂતક બાર કલાક પહેલા 25 ડિસેમ્બરની રાતે 8:17 પર લાગશે.
કેવુ હશે 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણ
ખાસ વાત એ છે કે વલયાકાર પથ નૉર્થથી સાઉથ તરફ ઘટતો જશે, એટલા માટે ચંદ્રમા દ્વારા સૂર્યનુ આચ્છાદન બેંગલોરમાં લગભગ 90%, ચેન્નઈમાં 85%, મુંબઈમાં 79%, કોલકત્તામાં 45%, દિલ્લીમાં 45%, પટનામાં 42%, ગુવાહાટીમાં 33%, પૉર્ટ બ્લેયરમાં 70% અને સિલચરમાં 35% રહેશે.
આ પણ વાંચોઃ વર્ષ 2020માં મનગમતો વર મેળવવા ઈચ્છતા હોવ તો કરો આ ઉપાય
સૂર્યગ્રહણ શું છે?
જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચમાં આવી જાય છે ત્યારે તે પૃથ્વી પર આવતા સૂર્યના પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાની છાયા બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
આમ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ આની સાથે જોડાયેલા અમુક મિથ પણ છે... સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે કારણકે સૂર્ય પર છાયા પડે છે, જેનાથી આ બધુ બુરાઈ માટે એક ઓમેન બનાવી દે છે. ઘણા લોકો ખરાબ તાકાતોથી પોતાને બચાવવા માટે પ્રાર્થના અને જાપ જેવી ધાર્મિક ગતિવિધિઓમાં લાગી જાય છે. સૂર્યગ્રહણ દરમિયાન રસોઈ પણ બનાવવામાં આવતી થી. સૂર્યનુ અજવાળુ ઓછુ થવાના કારણે કહેવાય છે કે આનાથી જમવામાં બેક્ટેરિયા વધી જાય છે. એટલા માટે બચેલુ જમવાનુ પણ સૂર્યગ્રહણ પહેલા પૂરુ કરી લેવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે સૂર્ય ગ્રહ હાનિકારક માનવામાં આવે છે. આ મહિલાઓને ખરાબ તાકાતો પ્રત્યેઅતિ સંવેદનશીલ માનવામાં આવે છે.