Surya Grahan or Solar Eclipse 2019: સૂર્યગ્રહણ પ્રારંભ, જુઓ પહેલો ફોટો
વલયાકાર ગ્રહણમાં સૂર્ય પર સંપૂર્ણપણે ગ્રહણ નથી લાગતુ, ગ્રહણનો પહેલો ફોટો કોચ્ચિ અને ભૂવનેશ્વરથી આવ્યો છે.
વર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ શરૂ થઈ ગયુ છે, આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે કે જે ભારતના ઘણા ભાગોમાં દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1962માં બહુ મોટુ સૂર્યગ્રહણ થયુ હતુ જેમાં સાત ગ્રહ એકસાથે હતા, આ વર્ષે ત્રીજા સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકો વલયાકાર ગ્રહણ બતાવ્યુ છે, વલયાકાર ગ્રહણમાં સૂર્ય પર સંપૂર્ણપણે ગ્રહણ નથી લાગતુ, ગ્રહણનો પહેલો ફોટો કોચ્ચિ અને ભૂવનેશ્વરથી આવ્યો છે.
|
સૂર્યગ્રહણનો સમય
સૂર્યગ્રહણ સવારે તે સવારે 8:09 વાગે શરૂ થઈ ચૂક્યુ છે, 9:37 પર ગ્રહણનો મધ્યકાળ હશે અને 10:58 પર ગ્રહણનો મોક્ષ હશે, સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 વાગીને 36 મિનિટે સમાપ્ત થશે. સૂતક બાર કલાક પહેલા 25 ડિસેમ્બરની રાતે 8:17 પર લાગી ચૂકયુ છે.
|
અમાસે લાગે છે ગ્રહણ
ગ્રહણ પ્રકૃતિનો એક અદભૂત ચમત્કાર છે, જ્યોતિષના દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો અભૂતપૂર્વ, વિચિત્ર જ્યોતિષ જ્ઞાન, ગ્રહ અને ઉપગ્રહોની ગતિવિધિઓ તેમજ તેનુ સ્વરૂપ સ્પષ્ટ કરે છે. આ ઘટના હંમેશા અમાસે જ થાય છે.
|
શું છે માન્યતાઓ
આપણા ઋષિ-મુનિઓએ સૂર્યગ્રહણ લાગવા સમયે ભોજન ન લેવા કહ્યુ છે કારણકે તેમની માન્યતા હતી કે ગ્રહણના સમયે બેક્ટેરિયા ફેલાય છે. ખાદ્ય વસ્તુ, જળ વગેરેમાં સૂક્ષ્મ જીવાણુ ભેગા થઈને તેને દૂષિત કરે છે માટે ઋષિઓએ પાત્રોને કુશ નાખવા કહ્યુ છે જેથી બધા કીટાણુ કુશમાં ભેગા થઈ જાય અને તેમને ગ્રહણ બાદ ફેંકી શકાય. ગ્રહણ બાદ સ્નાન કરવાનુ વિધાન એટલા માટે બનાવવામાં આવ્યુ દેથી સ્નાન દરમિયાન શરીરની અંદર ઉષ્માનો પ્રવાહ વધે, અંદર-બહારના કીટાણુ નાશ પામે અને ધોવાઈને વહી જાય.
Odisha: Solar eclipse begins; latest visuals from Bhubaneswar. pic.twitter.com/iWtol26BlA
— ANI (@ANI) 26 December 2019