સૂર્યગ્રહણ 2019: વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ આજે, ભૂલથી પણ ના કરતા આ કામ
હિંદુ ધર્મમાં ગ્રહણને સારુ માનવામાં આવતુ નથી એટલા માટે ગ્રહણ કાળ દરમિયાન અમુક વાતોનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે...
વર્ષ 2019નુ અંતિમ સૂર્ય ગ્રહણ આજે છે, આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે. આજના સૂર્યગ્રહણમા છ ગ્રહ એક સાથે હશે અને તે ભારતમાં પણ દેખાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1962માં બહુ મોટુ સૂર્યગ્રહણ થયુ હતુ જેમાં સાત ગ્રહ એક સાથે હતા. સૂર્ય ગ્રહણને દેશના દક્ષિણ ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોઈ શકાય છે.
ત્રણ કલાકનુ સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણ સવારે તે સવારે 8:09 વાગે શરૂ થઈ ચૂક્યુ છે, 9:37 પર ગ્રહણનો મધ્યકાળ હશે અને 10:58 પર ગ્રહણનો મોક્ષ હશે, સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 વાગીને 36 મિનિટે સમાપ્ત થશે. સૂતક બાર કલાક પહેલા 25 ડિસેમ્બરની રાતે 8:17 પર લાગી ચૂકયુ છે.
હિંદુ ધર્મમાં ગ્રહણને સારુ માનવામાં આવતુ નથી એટલા માટે ગ્રહણ કાળ દરમિયાન અમુક વાતોનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે...
રાખો આ વાતોનુ ખાસ ધ્યાન
ઘરોમાં લોકો ગ્રહણ કાળમાં ધૂપ-અગરબત્તી સળગાવીને રાખવી જેનાથી નેગેટીવ એનર્જી ઘરમાંથી બહાર નીકળી જાય.
તુલસીના છોડને ન અડવુ અને સૂવુ પણ નહિ.
ગ્રહણ કાળમાં કાતરનો ઉપયોગ ન કરવો, ફૂલો ન તોડવા, વાળ તેમજ કપડાને સાફ ન કરવા, દાંતણ કે બ્રશ ન કરવુ, ભેંસ તેમજ બકરીને ન દોવી.
આ પણ વાંચોઃ સૂર્યગ્રહણ 2019: સૂર્યગ્રહણમાં કેમ બંધ થઈ જાય છે મંદિરોના કપાટ, જાણો શું થાય છે એ વખતે
કુશા કે તુલસી પત્ર
ભોજન ન કરવુ, કઠોર શબ્દોનો ઉપયોગ ન કરવો, સહવાસ ન કરવો, મુસાફરી ન કરવી.
કુશા કે તુલસી પત્ર ગ્રહણ શરૂ થવા પહેલા ખાવા પીવાની વસ્તુઓ જેવી કે રાંધેલુ ભોજન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણુ, પીવાનુ પાણી, તેલ વગેરેમાં કુશા કે તુલસી પત્ર નાખી દેવુ જોઈએ જેનાથી તે દૂષિત ન થાય.
સૂર્યગ્રહણ શું છે?
જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચમાં આવી જાય છે ત્યારે તે પૃથ્વી પર આવતા સૂર્યના પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાની છાયા બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.