For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકો પર હંમેશા રહે છે મા લક્ષ્મીની કૃપા, બને છે અઢળક ધન-સંપત્તિના માલિક

અમુક લોકો પર જન્મના સમયથી જ મા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ જાય છે. જાણો કોણ છે આ લોકો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમુક લોકો પર જન્મના સમયથી જ મા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ જાય છે. તે આખી જિંદગીમાં અપાર ધન-સંપત્તિનો આનંદ લે છે. આવા ભાગ્યશાળી લોકો અમુક ખાસ તારીકે પેદા થાય છે. અંક શાસ્ત્ર મુજબ આ ભાગ્યશાળી જાતકો મૂલાંક 9 વાળા હોય છે. એટલે કે કોઈ પણ મહિનાની 9, 27 કે 18 તારીખે જન્મેલા લોકો પૈસા બાબતે ખૂબ જ લકી હોય છે.

ma

મૂલાંક 9ના જાતકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમની પાસે હંમેશા ખૂબ જ પૈસા રહે છે. સાથે જ તે પોતાની વાતના પાક્કા હોય છે. જે કહી દે તેને નિભાવે છે. તે પડકારોનો સામનો હિંમતથી કરે છે. મૂલાંક 9નો સ્વામી મંગળ છે જેના કારણે આ જાતકોમાં બુદ્ધુમત્તા સાથે-સાથે સાહસ પણ હોય છે.

રાજકારણ-પ્રશાસનમાં કમાય છે નામ

મૂલાંક 9ના જાતકો માટે રાજનીતિ અને પ્રશાસનિક સેવાઓમાં કામ કરવાનુ ખૂબ સારુ માનવામાં આવે છે. તે આ ક્ષેત્રોમાં ખૂબ જ ઉંચુ સ્થાન મેળવે છે. તે રાજકારણમાં રહે તો સારા લીડર બને છે. વળી, પ્રશાસનિક સેવાઓમાં જાય તો આઈએએસ, આઈપીએસ, રેલવે વગેરેમાં પણ સારુ પ્રદર્શન કરે છે. આ લોકો જોખમ લેવાથી ડરતા નથી.

સ્વભાવ હોય છે ગુસ્સાવાળો

મૂલાંક 9વાળા લોકો મંગળના પ્રભાવના કારણે ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આના કારણે તેમને પોતાના જીવનસાથી અને ભાઈ-બહેનો સાથે બનતુ નથી. તેમના લગ્નેત્તર સંબંધો હોવાની પણ સંભાવના રહે છે.

English summary
These prople always get Mata Lakshmi Kripa and enjoys wealth in life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X