શું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે?
શું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે?
હિંદુ ધર્મમાં સાપને દેવાનું સ્થાન પ્રાપ્ત છે. તે ભગવાન શિવના ગળામાં સુશોભિત રહે છે. તે અત્યંત ખતરનાક અને જીવલેણ જરૂર છે પરંતુ તે લક્ષ્મીનું પણ પ્રતીક છે. પૌરાણિક માન્યતાઓ મુજબ જ્યાં સાપ નિવાસ કરતો હોય ત્યાં આજુબાજુમાં ક્યાંક ધન જરૂર હોય છે. દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરે ધનની રક્ષા માટે ચોકીદાર તરીકે સર્પને નિયોક્ત કરી રાખ્યા હતા. વૈદિક જ્યોતિષમાં આની સાથે જોડાયેલ કેટલાય શુભ-અશુભ યોગ પણ છે જેમ કે કાલસર્પ દોષ, સર્પ દોષ વગેરે. આવી રીતે જ હસ્તરેખા શાસ્ત્રમાં પણ હથેળીમાં સર્પ ચિહ્નનું પણ અલગ જ મહત્વ છે. તે વિવિધ રેખાઓ અને પર્વતો પર વિવિધ શુભ-અશુભ પ્રભાવ દેખાડે છે.

સાપનું ચિહ્ન હોવું શુભ પણ અને અશુભ પણ
હથેળીમાં સાપનું ચિહ્ન હોવું શુભ પણ હોય છે અને અશુભ પણ. નિશાન કયા સ્થાન પર છે તેના પર શુભ-અશુભ અસર નિર્ભર કરે છે. અમે શુક્ર પર્વતથી પ્રારંભ કરીએ છીએ. શુક્ર પર્વત અંગુઠાના નીચેના સ્થાને હોય છે. અહીં દાંપત્ય સુખ, યૌન સંબંધન, આકર્ષણ, પ્રેમ સંબધ અને ભૌતિક સુખ-સુવિધાઓ, ભોગ વિલાસનું સ્થાન હોય છે. આ સ્થાન પર સાપનું ચિહ્ન હોવું મતલબ કે વ્યક્તિને ભોગ-વિલાસના સાધન બહુ પ્રાપ્ત થતાં હોય છે, પરંતુ દાંપત્ય જીવનમાં કષ્ટ પેદા થઈ શકે છે. આવા વ્યક્તિનું પારિવારિક જીવન 38 વર્ષની ઉંમર સુધી સંકટપૂર્ણ રહે છે.

તર્જની આંગળીની નીચે ગુરુ પર્વત હોય છે
તર્જની આંગળીની નીચે ગુરુ પર્વત હોય છે. જેના પર સાપનું નિશાન હોવું એટલે કે વ્યક્તિ અત્યંત ગુણવાન અને જ્ઞાનવાન હોય છે. આ પર્વત પર સર્પનું મુખ ઉપર એટલે કે આંગળી તરફ જાય તો વ્યક્તિ આધ્યાત્મના ક્ષેત્રમાં ઉંચાઈઓ હાંસલ કરી શકે છે, પરંતુ સર્પનું ચિહ્ન નીચે તરફ હોય તો વ્યક્તિની અધોગતિ થાય છે. એવા વ્યક્તિઓએ કેટલીય વાર અપમાનજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
મધ્યમ આંગળીની નીચે શનિ પર્વત હોય છે અને તેના પર જ ભાગ્યરેખા સમાપ્ત થતી હોય છે. જો આ સ્થાન પર સાપનું ચિહ્ન હોય તો જાતક અપાર ધન સંપત્તિનો માલિક બની શકે છે. યદિ સર્પ રેખા બેગણી હોય તો તેની ઉલટી અસર થતી હોય છે. આવા વ્યક્તિ પોતાનું પહેલેથી એકઠું કરેલ ધન પણ વ્યસનોમાં ગુમાવી બેસે છે.

સાપના કારણે સૂર્ય ગ્રહણ જેવી સ્થિતિ
અનામિકા આંગળીની નીચે સૂર્ય પર્વત હોય છે. આ સ્થાન પર સાપનું ચિહ્ન હોવું અશુભ હોય છે. અહીં સાપનું ચિહ્ન હોવાનો મતલબ જીવન સંકટપૂર્ણ હશે. આવા વ્યક્તિ જીવનમાં ક્યારેક પ્રગતિ કરી શકતા નથી. એક રીતે અહિં સર્પના કારણે સૂર્ય ગ્રહણ જેવી સ્થિતિ માનવામાં આવે છે.
કનિષ્ઠિકા આંગળીની નીચે બુધ પર્વત હોય છે જે વ્યાપાર, વ્યવસાયનું સ્થાન છે. અહીં સર્પનું ચિહ્ન હોવાનો મતલબ કે વ્યક્તિ માનસિક રૂપે મજબૂત રહે છે અને પોતાના નિર્ણયનો પાક્કો હોય છે. આવો વ્યક્તિ એકવાર કંઈક કરવાનું નક્કી કરી લે પછી તે કરીને જ ઝંપે છે. બિઝનેસના ક્ષેત્રમાં આવા વ્યક્તિ સફળ થતા હોય છે.
ચંદ્ર પર્વત પર સાપનું ચિહ્ન હોવાથી વ્યક્તિને વિદેશથી ધન પ્રાપ્ત થતું હોય છે. વિદેશમાં નિવાસ કરે છે અને આવા વ્યક્તિના લગ્ન પણ વિદેશી યુવતી કે યુવક સાથે થાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
