વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સજાવો આપના ઘરના પૂજા ખંડને!
આજના આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિમાં લોકોની આસ્થા અને શ્રધ્ધામાં જરા પણ ઉણપ આવી નથી, આજે દરેકના ઘરમાં એક પૂજા માટેનું મંદિર સ્થાપિત હોય છે. જાણે ઘરમાં મંદિરની સ્થાપના કરવી એક ચલણ બની ગયું છે.
ઘણા લોકો વગર વિચાર્યે ઘરમાં મંદિરની સ્થાપના કરાવી દેતા હોય છે જ્યારે ઘણા લોકો વાસ્તુને ધ્યાનમાં રાખીને મંદિરની સ્થાપના કરાવે છે. વાસ્તુ ટિપ્સ ઘરના શરૂઆતથી દરવાજાથી લઇને બાલકની સુધી પ્રયોગ કરવામાં આવે છે. અહીં સુધી લોકો પોતાના ઘરને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સજાવટ કરે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘર ના પણ બન્યું હોય તો પણ આપણ તેના અનુસાર આપના મંદિરને બનાવડાવી શકો છો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરની દિશા, તેનું સ્થાન, કયા ધાતુથી બન્યું છે મંદિર વગેરે... અને અન્ય ઘણા નિયમો લાગુ પડે છે. તો આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેવું હોવું જોઇએ આપના ઘરનું મંદિર...
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેવી રીતે સજાવશો આપના ઘરનું મંદિર

1
ઘરમાં મંદિર બનાવવા માટે પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તરની દિશા સૌથી સારી હોય છે. જો આપનું ઘર ત્રણ માળનું છે તો આપ મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવો એ વધું હિતાવહ અને યોગ્ય છે.

2
મંદિરની સામે, બાજુમાં, ઉપર અથવા નીચે ટૉયલેટ અને કિચન ના હોવું જોઇએ. જો ઘરમાં જગ્યાની ઉણપ હોય અને મંદિર બેડરૂમમાં છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે પગ મંદિરની સામે રાખીને ક્યારેય ઊંઘવું નહીં.

3
મંદિર માટે હળવા પીળા રંગને શુભ માનવામાં આવે છે. માટે દિવાલો પર હળવો પીળો રંગ કરાવી શકાય છે.

4
વાસ્તુ અનુસાર ત્રિકોણ આકારનું મંદિર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરની છત પણ ત્રિકોણીય હોવી જોઇએ, જેનાથી પોઝિટિવ એનર્જી બની રહે છે.

5
ભગવાનની મૂર્તીને મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેમની મૂર્તિઓ એક-એક ઇંચ દૂર રાખવામાં આવી હોય. મૂર્તિઓને એકબીજાની સામે ના મૂકવી જોઇએ. મૂર્તિઓને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મૂકો, ઉત્તર દિશામાં મૂકવી નહીં.

6
મંદિરને સજાવવા માટે તાંબાના જ વાસણનો ઉપયોગ કરવો જોઇએ. દિવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રજ્વલિત કરવો જોઇએ.

7
ઘરમાં બનાવેલા પૂજા ખંડમાં ભગવાની મૂર્તિઓની સાથે પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની તસવીરો મૂકવી નહીં

8
તમારા પૂજા ખંડને હંમેશા સાફ-સુથરુ રાખવું જોઇએ. સાથે જ એમાં ક્યારેય ઊંઘવું જોઇએ નહીં અને આ ખંડમાં કોઇ ભંગારનો સંગ્રહ કરવો નહીં.
1.
ઘરમાં મંદિર બનાવવા માટે પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તરની દિશા સૌથી સારી હોય છે. જો આપનું ઘર ત્રણ માળનું છે તો આપ મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવો એ વધું હિતાવહ અને યોગ્ય છે.
2.
મંદિરની સામે, બાજુમાં, ઉપર અથવા નીચે ટૉયલેટ અને કિચન ના હોવું જોઇએ. જો ઘરમાં જગ્યાની ઉણપ હોય અને મંદિર બેડરૂમમાં છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે પગ મંદિરની સામે રાખીને ક્યારેય ઊંઘવું નહીં.
3.
મંદિર માટે હળવા પીળા રંગને શુભ માનવામાં આવે છે. માટે દિવાલો પર હળવો પીળો રંગ કરાવી શકાય છે.
4.
વાસ્તુ અનુસાર ત્રિકોણ આકારનું મંદિર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરની છત પણ ત્રિકોણીય હોવી જોઇએ, જેનાથી પોઝિટિવ એનર્જી બની રહે છે.
5.
ભગવાનની મૂર્તીને મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેમની મૂર્તિઓ એક-એક ઇંચ દૂર રાખવામાં આવી હોય. મૂર્તિઓને એકબીજાની સામે ના મૂકવી જોઇએ. મૂર્તિઓને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મૂકો, ઉત્તર દિશામાં મૂકવી નહીં.
6. મંદિરને સજાવવા માટે તાંબાના જ વાસણનો ઉપયોગ કરવો જોઇએ. દિવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રજ્વલિત કરવો જોઇએ.
7.
ઘરમાં બનાવેલા પૂજા ખંડમાં ભગવાની મૂર્તિઓની સાથે પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની તસવીરો મૂકવી નહીં.
8.
તમારા પૂજા ખંડને હંમેશા સાફ-સુથરુ રાખવું જોઇએ. સાથે જ એમાં ક્યારેય ઊંઘવું જોઇએ નહીં અને આ ખંડમાં કોઇ ભંગારનો સંગ્રહ કરવો નહીં.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
