Vastu Tips : નોકરીમાં મળશે ઇન્ક્રિમેન્ટ અને પ્રમોશન, કરો આ 5 સરળ ઉપાય
Vastu Tips : એપ્રિલના મહિના પુરો થવા જઇ રહ્યો છે. આ મહિનામાં નોકરિયાત વર્ગને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળે છે. આવા સમયે દરેક વ્યક્તિ કામ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન ઇચ્છે છે. જોકે, દરેક વ્યક્તિની આ ઇચ્છા પુરી થાય એ જરૂરી નથી.
કુંડળીમાં કેટલીક ખામીઓને કારણે તેમની પ્રગતિનો માર્ગ અવરોધાય છે. આજે આ અહેવાલમાં તમને એવી જ કેટલીક જ્યોતિષીય ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનની શક્યતા વધી જશે.
શનિ મંદિરમાં જઈને દીવો પ્રગટાવો - નોકરીમાં ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન મેળવવા માટે વ્યક્તિએ દર શનિવારના રોજ શનિ મંદિર જઈને દીવો કરવો જોઈએ. તેની સાથે જ ત્યાં બેસીને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિદેવની અશુભ અસર ઓછી થાય છે.
રોજ સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો - નોકરીમાં પ્રગતિ માટે સવારે વહેલા ઊઠીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેની સાથે સૂર્ય મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
રાહુ-કેતુના દોષોથી છુટકારો મેળવવાનો ઉપાય - નોકરીમાં પ્રમોશન માટે મંદિરમાં જઈને નવગ્રહ અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળે છે. આ સાથે જ કુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે.
દસમા ઘરના સ્વામીના મંત્રોનો જાપ કરો - નોકરીમાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ પોતાની કુંડળીના દસમા ઘરના સ્વામીના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે.
વેપારમાં વૃદ્ધિ માટે કરો આ કામ - જે લોકો પોતાનો વ્યવસાય કરે છે, તેઓએ વધુ સારો નફો મેળવવા માટે તેમના કાર્યસ્થળ પર વ્યાપર વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આવું કરવાથી નુકસાન સમાપ્ત થાય છે અને નફો શરૂ થાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.