Vastu Tips: જો તમારી સાથે વારંવાર દૂર્ઘટનાઓ થઈ રહી હોય તો, વાસ્તુદોષ હોઈ શકે છે કારણ, આ ટીપ્સથી મેળવો ઉકેલ
Vastu Tips: ઘણી વખત આપણે જોઈએ છીએ કે અચાનક આપણી સાથે અથવા આપણા પરિવારના સભ્યો સાથે અકસ્માત થવા લાગે છે. વાહન અકસ્માત, ઈજા કે અન્ય ખરાબ ઘટનાઓ બનવા લાગે છે. તમામ તકેદારી અને સાવચેતી રાખ્યા પછી પણ આપણે આવા અકસ્માતો અટકાવી શકતા નથી.
જ્યારે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરીશુ તો ચોક્કસ ઘરની કોઈને કોઈ વાસ્તુ દોષ સામે આવશે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો આ બાબતો અને લક્ષણો પર ધ્યાન આપો અને તેનાથી બચવાના ઉપાયો કરો.

કારણ શું છે
અકસ્માતોનું કારણ શનિ સાથે સંબંધિત છે. વાસ્તુશાસ્ત્રમાં શનિની દિશા પશ્ચિમ છે. જો ઘરની પશ્ચિમ દિશામાં કોઈ વાસ્તુ દોષ હોય તો આવી અણધારી ઘટનાઓ બનવા લાગે છે. આગ સંબંધિત અકસ્માતો માટે પશ્ચિમ દિશામાં પાણીની જગ્યાની હાજરી મુખ્ય કારણ છે. જો વાહન અકસ્માતો થઈ રહ્યા છે, તો તૂટેલું ફર્નિચર, તમારા ઘરની પશ્ચિમ બાજુએ રાખવામાં આવેલો જૂનો કચરો, તૂટેલા કાચ કે કાચના વાસણો અકસ્માતના મુખ્ય કારણો છે. જો તમે પશ્ચિમ દિશામાં સીડીઓ બનાવેલી હોય તો તે કોઈને કોઈ રીતે તમને આગળ વધતા અટકાવે છે અને આ અકસ્માતનું કારણ બને છે.
કેવી રીતે દૂર કરવું
જો મકાનમાં તોડફોડ કરવી શક્ય હોય, તો પાણીનો વિસ્તાર અથવા સીડી અહીંથી સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ. પશ્ચિમ દિશા સ્વચ્છ રાખો. જો શક્ય હોય તો તેને ખુલ્લું રાખવું જોઈએ અને અહીં ફૂલો અને ફળોના છોડ લગાવી શકાય છે. પશ્ચિમ દિશામાં પાંચ પિત્તળની પટ્ટીઓ લગાવવી જોઈએ. આ ભાગની જમીન કાચી રાખવી જોઈએ. જો તેને કાચું રાખવું શક્ય ન હોય તો એક ચોરસ માટીના કૂંડામાં પાંચ પ્રકારની માટી ભેળવીને રાખો અને તેમાં કોઈ છોડ ન વાવો. આ દિશામાં દીવાલ પર વાદળી અથવા રાખોડી રંગ લગાવવો વધુ સારું રહેશે. તૂટેલા કાચ, ફર્નિચર વગેરે પશ્ચિમ દિશામાં ન રાખવા જોઈએ. વાહનો રાખવા માટે આ દિશામાં ગેરેજ બનાવી શકાય છે અથવા તમારા વાહનોને ખુલ્લી જગ્યામાં રાખી શકાય છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
