Vastu Tips: કૌટુંબિક ક્લેશનું કારણ બની શકે છે રસોડાની શાકભાજી

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં કોઇપણ વસ્તુ કઇ દિશામાં રાખવી જોઇએ, એ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એવું કરવાથી વાસ્તુ દોષથી છુટકારો મળે છે, જે સાથે સાથે સુખ અને શાંતિ પણ બની રહે છે.

જો તમે ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની અને સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેની પાછળનું કારણ રસોડામાં ખોટી રીતે સંગ્રહિત શાકભાજી પણ હોય શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બજારમાંથી શાકભાજી કેવી રીતે લાવવી અને તેને ઘરમાં કેવી રીતે રાખવી, તે વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

vegetables

જાણો બજારમાંથી શાકભાજી કેવી રીતે લાવશો? - જ્યારે પણ કોઈ વ્યક્તિ શાકભાજી ખરીદવા બજારમાં જાય છે, ત્યારે તે કોઈપણ રંગની થેલી લઈને નીકળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શાકભાજી લાવવા માટે હંમેશા સફેદ રંગની થેલીઓ જ રાખવી જોઈએ. સફેદ રંગ શાકભાજી લાવવા માટે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં પરેશાનીઓ નહીં આવે અને સુખ-શાંતિ બની રહે છે.

શાકભાજીને જમીન પર રાખવાની ભૂલ ન કરો - વાસ્તુશાસ્ત્ર અનુસાર શાકભાજી લાવ્યા બાદ તરત જ જમીન પર રાખવાની ભૂલ ક્યારેય ન કરવી. આવું કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. શાકભાજીને જમીનને બદલે ટેબલ પર રાખો. આમ કરવાથી ઘરમાંથી સમસ્યાઓ દૂર થશે અને સુખ-શાંતિ બની રહેશે.

જાણો શાકભાજી રાખવાની સાચી દિશા - વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શાકભાજી રાખવા માટે ઉત્તર પૂર્વ દિશા શ્રેષ્ઠ કહેવાય છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ છે. શાકભાજીને આ દિશામાં રાખતા પહેલા તેને સાફ કરી લો, જેથી તમારે વાસ્તુ દોષનો સામનો ન કરવો પડે. આ સાથે જ ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય અને સુખ-શાંતિ કાયમ રહે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X