Vastu Tips: બાથરુમમાં આ વસ્તુઓથી લાગે છે વાસ્તુદોષ, પાણીની જેમ વહી જશે પૈસા
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાથરૂમની કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
નવી દિલ્લીઃ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દરેક જગ્યા મહત્વપૂર્ણ છે અને તેના માટે કેટલાક નિયમો છે. એ જ રીતે બાથરૂમનુ પણ વાસ્તુમાં વિશેષ સ્થાન છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ચંદ્ર અને વરુણ દેવતાઓ સાથે સંબંધ હોવાનુ માનવામાં આવે છે. વાસ્તુ અને ધર્મ બંનેમાં એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં બાથરૂમ ગંદુ રહેતુ હોય તો આવા ઘરમાંથી ધન-સંપત્તિ અને સમૃદ્ધિ દૂર રહે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાથરૂમની કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

ઉત્પન્ન થાય નેગેટીવ ઉર્જી
ફોટો ન લગાવવો
તમારે તમારા નહાવાની જગ્યા એટલે કે બાથરૂમમાં ભૂલથી પણ ફોટો ન લગાવવો જોઈએ. જ્યારે આવુ થાય ત્યારે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને દોષ વધે છે.
ગેજેટ્સનો ઉપયોગ
ઘણીવાર એવુ જોવા મળે છે કે કેટલાક લોકો બાથ ટબમાં કે ટોયલેટ સીટ પર બેસીને ફોનનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવુ કરતા હોય તો તરત જ બંધ કરી દો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મશીનોને શનિ અને રાહુ સાથે સંબંધિત છે. બાથરૂમમાં તેનો ઉપયોગ કરવાથી શનિ અને રાહુ દોષ લાગે છે.
છોડ
છોડને શુદ્ધતા અને સાત્વિકતા સાથે સંબંધ હોવાનુ માનવામાં આવે છે. એટલા માટે તેમને બાથરૂમમાં મૂકવા યોગ્ય નથી. ખાસ કરીને તેને એટેચ્ડ બાથમાં ભૂલથી પણ ન મૂકવા.
ડોલ આવી ન હોવી જોઈએ
બાથરૂમમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખો અને ડોલ અને મગ ભૂલથી પણ ગંદા ન રહેવા જોઈએ. બાથરૂમમાં હળવા વાદળી રંગની ડોલનો ઉપયોગ કરવો વધુ સારુ રહેશે.

ભૂલથી પણ આવુ ન કરવુ
ચંપલ આવા ન હોવા જોઈએ
કેટલાક લોકો પોતાના ઘરમાં બાથરૂમ માટે ચંપલ અલગ રાખે છે. આમ કરવામાં કંઈ ખોટુ નથી. પરંતુ ધ્યાન રાખો કે આ ચંપલને બાથરૂમની અંદર ન રાખવા જોઈએ અને તે તૂટેલા ન હોવા જોઈએ.
ટોઈલેટ સીટ
તમારા બાથરૂમમાં ટોયલેટ હંમેશા સ્વચ્છ હોવુ જોઈએ. ગંદી ટોઇલેટ સીટ જ્યાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, ત્યાં તેને ખામીયુક્ત પણ ગણવામાં આવે છે.
કપડાને આ રીતે છોડશો નહિ
બાથરૂમમાં ભીના કપડા રાખવા એ ખૂબ જ ખરાબ આદત છે. જેના કારણે વાસ્તુ દોષ રહે છે એટલુ જ નહિ સાથે જ ગ્રહોની સ્થિતિ પણ અશુભ રહે છે.
તૂટેલા વાળ
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ નહાતી વખતે વાળ ધોઈ નાખે છે અને તૂટેલા વાળને ત્યાં જ છોડી દે છે. આવુ કરવુ શાસ્ત્રોમાં દોષ માનવામાં આવે છે. ભૂલથી પણ આવુ ન કરવુ.

ટપકતો નળ પાણીમાં વહેતા પૈસા સમાન
આવો ન હોવો જોઈએ નળ
જો બાથરૂમમાં કોઈ નળ બગડે તો તેને તાત્કાલિક રીપેર કરાવી લેવો જોઈએ. બાથરૂમમાં ટપકતા નળને પાણીમાં વહેતા પૈસા સમાન માનવામાં આવે છે.
બાથરૂમમાં કબાડ
કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ઘરની નકામી વસ્તુઓ અને કબાડ બાથરૂમમાં રાખે છે. બાથરૂમ એ નહાવા માટેની જગ્યા છે અને કચરો રાખવાની જગ્યા નથી. ભૂલથી પણ આ ન કરવુ. આનાથી વાસ્તુદોષ લાગે છે.
તૂટેલો અરીસો
જો તમારા બાથરૂમનો કાચ કોઈ કારણસર તૂટી ગયો હોય તો તેને બદલો અને જો તે ગંદો હોય તો તેને તરત સાફ કરો. ગંદા અથવા તૂટેલા કાચ પણ એક દોષ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
