Shukra Asta 2022: 30 સપ્ટેમ્બેર શુક્ર થશે અસ્ત, શું છે આનો અર્થ?

જ્યોતિષ શાસ્ત્રની ભાષામાં ગ્રહના અસ્ત થવાનો અર્થ એ છે કે તે સૂર્યની...

નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રની ભાષામાં ગ્રહના અસ્ત થવાનો અર્થ એ છે કે તે સૂર્યની એટલી નજીક પહોંચી જાય છે કે તેની કોઈ આભા નથી રહેતી, તેનુ પોતાનું કોઈ અસ્તિત્વ નથી રહેતુ. સૂર્યના પ્રભાવ હેઠળ દરેક ગ્રહ નબળા પડી જાય છે. ગ્રહ સૂર્યના તેજમાં તેની આભા ગુમાવે છે તેથી તેને અસ્ત કહેવામાં આવે છે. હાલમાં સૂર્ય અને શુક્ર બંને કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ સંક્રમણ કરીને શુક્ર સૂર્યની એટલી નજીક પહોંચશે કે તે દેખાશે પણ નહિ એટલે કે તે અસ્ત થઈ જશે. શુક્ર પૂર્વમાં અસ્ત થઈ રહ્યો છે.

venus

રાશિઓ પર પ્રભાવ

શુક્ર ભૌતિક સુખ-સુવિધાઓ, ભોગ-વિલાસ, પ્રેમસંબંધો, વૈવાહિક સુખ આપનાર ગ્રહ છે. શુક્રના અસ્ત થવાથી તમામ રાશિઓ માટે આ બધી અસરો ઓછી થશે. જે લોકોની કુંડળી ખરાબ સ્થિતિમાં છે, નીચ રાશિ કન્યા રાશિમાં છે, તેમના માટે આ રાહતની વાત રહેશે કારણ કે શુક્રની અસ્ત થવાથી તેની ખરાબ અસર ઓછી થશે.

અષ્ટમી-નવમી પૂજન કઈ દિશામાં

વાસંતીક અને શારદીય નવરાત્રિમાં દરેક હિન્દુ પરિવાર અષ્ટમી અથવા નવમીના દિવસે દેવી દુર્ગાની પૂજા કરે છે. આમાં દિશાનુ ઘણુ મહત્વ હોય છે. પરિવારના સભ્યો કઈ દિશામાં પૂજા કરવા બેસે છે તે શુક્રની ઉદય કે અસ્ત સ્થિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો શુક્ર ઉદય અવસ્થામાં હોય તો પરિવારના સભ્યો જે દિશામાં ઉદય પામતા હોય તે દિશામાં પૂજા કરી શકતા નથી. એટલે કે શુક્રની સામે પૂજા કરવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે જો શુક્ર પશ્ચિમમાં ઉદય હોય તો ઉપાસકનુ મુખ પશ્ચિમ તરફ ન હોવુ જોઈએ. આ વખતે શુક્ર 30 સપ્ટેમ્બરે પૂર્વ દિશામાં અસ્ત થઈ રહ્યો છે તેથી અસ્ત અવસ્થામાં પૂર્વ કે પશ્ચિમ કોઈપણ દિશામાં પૂજા કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X