Vinayak Chaturthi June 2024: વિનાયક ચતુર્થી આજે, જાણો પૂજા વિધિ, મહત્વ અને વ્રતના લાભ
Vinayak Chaturthi 2024: જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્થીને મોટી ચતુર્થી કહેવાય છે. આજે ખૂબ પવિત્ર દિવસ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થસિદ્ધિ યોગ દિવસભર રહેવાના છે. તેથી આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.
આ ચતુર્થીના દિવસે કરવામાં આવેલું વ્રત અને પૂજા તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરશે. ચતુર્થી તિથિ સાંજે 4:14 વાગ્યે જ પૂર્ણ થશે અને સર્વાર્થસિદ્ધિ યોગ અને રવિ યોગ રાત્રે 9:40 વાગ્યા સુધી રહેશે. આ સંદર્ભમાં આ દિવસ ખૂબ જ ખાસ છે.

વિનાયક ચતુર્થીની પૂજા કેવી રીતે કરવી
વિનાયક ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તમારા ઘરના પૂજા સ્થાનમાં દરરોજ પૂજા કર્યા પછી ભગવાન ગણેશને તરભાણામાં બેસાડો અને પંચામૃતનો અભિષેક કરો અને પછી શુદ્ધ પાણીથી સ્નાન કરાવી બાજોટ પર બેસાડો. અહીં સિંદૂર વગેરેથી ભગવાન ગણેશની પૂજા કરો અને ષોડશોપચાર પૂજા કરો.
પ્રસાદ ધરાવો અને કથા સાંભળો
ભગવાન ગણેશને દુર્વા જરુર ચઢાવો. વિનાયક ચતુર્થીના વ્રતનો પ્રસાદ ધરાવો અને કથા સાંભળો. કથા દરમિયાન ચોખાના 13 દાણા લો અને તેને તમારા પલ્લુમાં બાંધો. દિવસભર ઉપવાસ રાખો. સૂર્યાસ્ત પછી, ફરીથી પૂજા કરો, જ્યોત લો અને ચંદ્રના દર્શનની રાહ જુઓ. ચંદ્ર ઉગ્યા પછી ચંદ્રની પૂજા કરો અને જળ અર્ઘ્ય સાથે પલ્લુમાં બાંધેલા ચોખાના દાણા પણ ચંદ્રને અર્પણ કરો. આ પછી ભોજન લો.
વિનાયક ચતુર્થી વ્રતના લાભ
વિનાયક ચતુર્થી વ્રત કરવાથી સમસ્યાઓનો અંત આવે છે. નાણાકીય સમસ્યાઓ દૂર થાય. પરિવારમાં કોઈ રોગ હોય તો તે પણ દૂર થાય છે. જોકે સ્ત્રીઓ વિનાયક ચતુર્થી વ્રત રાખે છે, પરંતુ પતિ-પત્નીએ સાથે મળીને કરવું જોઈએ. વિનાયક ચતુર્થીના વ્રતનું પાલન કરવાથી પરિવારમાં સુખ અને સંવાદિતા જળવાઈ રહે છે અને પરસ્પર પ્રેમ વધે છે. આ વ્રત તમામ સુખ અને આનંદ પ્રદાન કરે છે. માણસની ભૌતિક સુખ-સુવિધાઓ વધે છે. જે ઈચ્છા માટે વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવે છે તે અવશ્ય પૂર્ણ થાય છે.












Click it and Unblock the Notifications
