જ્યોતિષ મુજબ જાણો 'M'અક્ષરવાળા કેવા હોય છે?
'M' અક્ષરવાળા લોકો અત્યંત લાગણીશીલ હોવા છતાં પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકતા નથી.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. કાલે અમે તમને 'L' અક્ષર વિશે જણાવ્યુ હતું, આજે અમે તમને જણાવીશું 'M' અક્ષરવાળા લોકો કેવા હોય છે?
બોલિવૂડ જગતમાં M અક્ષરથી નામ શરૂ થતું હોય તેવા સિતારાઓની યાદીમાં માધુરી દીક્ષિત, મનીષા કોઇરાલા, મલ્લિકા શેરાવત, મલાઇકા અરોરા ખાન વગેરેનો સમાવેશ થાય છે. જો તમારા પણ કોઇ મિત્ર કે પ્રિયજનનું નામ M થી શરૂ થતું હોય, તો તેમની પર્સનાલિટી અંગે રસપ્રદ જાણકારી મેળવવા માટે આગળ વાંચતા રહો..

- જેમનુ નામ અંગ્રેજી 'M' અક્ષરથી શરૂ થાય છે એ લોકો અત્યંત લાગણીશીલ હોય છે.
- લાગણીશીલ હોવા છતાં તેઓ પોતાની લાગણીઓને રજૂ કરી શકતા નથી અને પોતાને સ્પષ્ટ વક્તા દેખાડવાનો પ્રયત્ન કરે છે.
તેઓ ઘણા સંવેદનશીલ ગણાય છે. ગહનચિંતન કરતા રહે છે અને અંતે કોઈ મોટું કામ કરી દેખાડે છે.
- પ્રેમનું તેમના જીવનમાં ઘણું મહત્વ હોય છે અને પોતાનો પ્રેમ પામવા તેઓ દરેક હદ વટાવી જાય છે, પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે.

- સ્વભાવે તેઓ સિદ્ધાંતવાદી હોય છે, તેમને ગોળ-ગોળ વાત કરવાની ફાવતી નથી. તેમને દરેક મુદ્દે સીધે સીધી વાત કરવી જ ગમે છે.
- તેમનું જીવન તેમના નૈતિક મૂલ્યો પર આધાર રાખે છે.
- દગો આપનાર કે છેતરનારને તે ક્યારેય છોડતા નથી.
- તેઓ પોતાની સેક્સ લાઈફને ઘણું મહત્વ આપે છે

- સ્વભાવે તેઓ વધુ જિદ્દી હોય છે, પરિણામે તેમના દુશ્મનો પણ ઘણા હોય છે.
- તેમના પર કિસ્મત મહેરબાન હોય છે. તેમ છતાં તેમનુ જીવન સાદગીભર્યું હોય છે
- તેઓ એકવાર જે વાતને પકડે છે તેને જલ્દી છોડતા નથી.
- વધુ કરીને તેઓ રાજનીતિ સાથે જોડાયેલા જોવા મળે છે.

- તેઓ સારા વક્તા અને સારા લેખક હોય છે. ભાષા પર તેમની સારી પકડ હોય છે.
- સાફ હૃદય અને ઉચ્ચ વિચારો હોવાને કારણે લોકો તેમને ખૂબ પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
