આ રાશિઓની સામે જૂઠું ન બોલવું, ઝડપથી પકડાઈ જશો તમે
જ્યારે તમારી સામે કોઈ જૂઠું બોલે છે, ત્યારે તમે તે પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરો છો? તમને શું સંકેત મળે છે કે તે વ્યક્તિ સત્ય બોલી રહ્યો નથી?
જ્યારે તમારી સામે કોઈ જૂઠું બોલે છે, ત્યારે તમે તે પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરો છો? તમને શું સંકેત મળે છે કે તે વ્યક્તિ સત્ય બોલી રહ્યો નથી?
જ્યોતિષવિદ્યા અનુસાર, એવી કેટલીક રાશિઓ છે જેમની પાસે જૂઠું બોલી રહેલા વ્યક્તિને ઓળખવાની ક્ષમતા હોય છે. તેમને સામે વાળાના હાવભાવને જોઈને, વાત કરતી વખતે બીજી દિશામાં જોવાથી તેનો અંદાજો થઇ જાય છે. ઘણીવાર આ સંકેતો દ્વારા જૂઠું બોલતા વ્યક્તિ વિશે ખબર ન પડે પરંતુ, કેટલાક લોકો પાસે જન્મથી એવી ક્ષમતા હોય છે જે તેઓ નિરીક્ષણ દ્વારા જાણી લે છે.
આ પણ વાંચો: આ રાશિની જોડીઓનો સાથે લાંબા સમય સુધી નથી ચાલતો
કન્યા
કન્યા રાશિના લોકોની સામે જૂઠું બોલવા માટે તમારી પાસે સારા ટેલેન્ટની જરૂર છે. તેઓ હાલતા-ચાલતા લાઇ-ડિટેક્ટર મશીનની જેમ કામ કરે છે. કન્યા રાશિના લોકો ખૂબ તેજ હોય છે અને પ્રાપ્ત થનારી બધી માહિતીનો અભ્યાસ કરે છે અને આ બધું તે સામાન્યરીતે ફક્ત આનંદ માટે કરે છે. જો તમે તેમની સામે જૂઠું બોલવાનો પ્રયાસ કરો છો, તો પછી તેઓ આ બધી માહિતીને યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે છે.
મિથુન
વાતચીતની કલામાં મિથુન રાશિના લોકો શીર્ષ સ્થાન પર આવે છે અને તેમની સામે સામે જૂઠું બોલવુંએ મૂર્ખતા ભર્યું છે. જો મિથુન રાશિના લોકોને થોડો પણ અંદાજો આવ્યો કે સામેવાળો વ્યક્તિ જૂઠું બોલે છે, તો પછી તેઓ જાણે છે કે તેમને તેમના પોતાની જાળમાં ફસાવવા માટે ક્યા પ્રકાર પ્રશ્નો પૂછવાના છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોની સામે બોલવું એ એક ખરાબ વિચાર છે. આ રાશિના લોકોને જૂઠું સમજવા માટે વધુ સમય લાગતો નથી. આ શોધ અને જાસૂસ પ્રકારના હોય છે. તેઓ સત્યને જાણ્યા વિના વિશ્વાસ કરતા નથી, પછી ભલે તેમને સખત મહેનત અને તેમની પાછળ સમય પસાર કરવો પડે. જૂઠું શોધી કાઢ્યા પછી, તેઓ તે પરિસ્થિતિને પોતાની રીતે નિયંત્રિત કરે છે અને જાણે છે કે તે વ્યક્તિને શું સજા કરવી.
મકર
મકર રાશિના લોકો પોતે સત્યનો સાથ આપનારા હોય છે. ઘણી વખત કોઈ વ્યક્તિ સાથે વાત કરવા અથવા વિશ્વાસ કરવા માટે તેઓ વધુ સમય લે છે. તેઓ સીધા તેમની સામેની વ્યક્તિની આંખોમાં જુએ છે, અને એકવાર તે વ્યક્તિ આંખો ચોરી જાય છે, પછી તેમને તે બાબતમાં કેટલું સત્ય છે તેનો અંદાજો થઇ જાય છે.તમારે સાબિત કરવું પડશે કે તમે સત્ય બોલી રહ્યા છો નહીં તો તે તમારી પર વિશ્વાસ કરશે નહીં.