ઇલેક્ટ્રિક વાહનોમાં શા માટે થાય છે વિસ્ફોટ? આ કારણો આવ્યા સામે આવ્યા
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં, ચાર બનાવો બન્યા છે, જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે આગ લાગી હતી અને આ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા.
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં, ચાર બનાવો બન્યા છે, જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે આગ લાગી હતી અને આ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા. ઈલેક્ટ્રિક સ્કૂટર પૈસા બચાવે છે, પણ તેનાથી તમારો જીવ કોણ બચાવશે? (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે, સરકાર આ તમામ ઘટનાઓની ફોરેન્સિક તપાસ કરશે અને જો આ તપાસમાં આ વાહનો બનાવતી કંપનીઓ જવાબદાર જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે થયો વિસ્ફોટ
છેલ્લા એક સપ્તાહમાં ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના ચાર બનાવો નોંધાયા છે અને જેમાં બે લોકોના મોત પણ થયા છે. 26 માર્ચના રોજ તમિલનાડુના વેલ્લોરમાંઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે વિસ્ફોટ થયો, જેમાં એક વ્યક્તિ અને તેની પુત્રીનું મૃત્યુ થયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિએ આ સ્કૂટરને ચાર્જ કરવા માટે જે સોકેટમાં રાખ્યું હતું તે તેના રૂમમાં હતું અને આ ઘટના દરમિયાન આ સોકેટ પણ ફાટ્યુંઅને તે પછી આ ઘરમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા હતા.

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ફાટી નીકળી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં તમિલનાડુમાં આવી ત્રણ ઘટનાઓ બની છે અને બાકીની બે ઘટનાઓમાં પણ અચાનક ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાંથી ધુમાડોનીકળવા લાગ્યો હતો. આ જોયા બાદ આ સ્કૂટરો આગમાં સળગવા લાગ્યા હતા. ચેન્નાઈમાં બનેલી આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.
આ વ્યક્તિ જ્યારેપોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે તેની બેટરીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેણે આ સ્કૂટરને રોડની બાજુમાં પાર્ક કર્યું હતું, ત્યારે અચાનકઆ સ્કૂટરમાં આગ લાગી ગઈ હતી.

લોકોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરનો ડર છે
આ ઘટનાઓ માત્ર તમિલનાડુ પૂરતી મર્યાદિત નથી. 26 માર્ચના રોજ મહારાષ્ટ્રના પૂણેમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. અને મોટી વાત એ છે કે, આ સ્કૂટર આખીરાત એક જગ્યાએ ઉભું હતું. એટલે કે આ સ્કૂટર ચલાવતી વખતે ન તો આ ઘટના બની અને ન તો તેને ચાર્જ કરતી વખતે બની હતી. આ તમામ ઘટનાઓએ ઈલેક્ટ્રીકસ્કૂટર અંગે લોકોના મનમાં ડર પેદા કર્યો છે.
અહીં એક વાત સ્પષ્ટ કરી દઈએ કે, અમે ઈલેક્ટ્રિક વાહનોના વિરોધમાં નથી. અમે એમ પણ માનીએ છીએ કે, આ ટેક્નોલોજી આપણા દેશ અને સમગ્ર વિશ્વનું ભવિષ્યછે, પરંતુ અમને લાગે છે કે, આ ઘટનાઓ પછી આ ટેક્નોલોજીમાં સુધારો કરવાની જરૂર છે અને તેને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર છે.
જોકે, એક સત્ય એ પણ છે કે, જ્યારે પણ ઇલેક્ટ્રિક વાહનોને લગતી ટેક્નોલોજી સુધારવાની વાત થાય છે અથવા આવી ઘટનાઓ પછી આ વાહનો બનાવતી કંપનીઓપર સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે આ કંપનીઓ આ ટીકા સહન કરી શકતી નથી અને તેઓ તેને પેટ્રોલ લોબીનું પોતાની સામેનું એક ષડયંત્ર ગણાવવા લાગે છે.
બની શકે કે આજે આપણા વિશ્લેષણને પણ આ જ પરિપ્રેક્ષ્યથી જોવામાં આવે પરંતુ અમે ફરીથી કહેવા માંગીએ છીએ કે અમે ઈલેક્ટ્રીક વાહનોની વિરુદ્ધમાં નથી અને આટેક્નોલોજીને સમર્થન આપીએ છીએ, પરંતુ અમે એમ પણ માનીએ છીએ કે જો આ ટેક્નોલોજીમાં કોઈ ખામી હોય તો તેને સુધારવાની જરૂર છે.
ઉદાહરણ તરીકે, યુએસમાં જ્યારે આવી ઘટનાઓ સામે આવી રહી હતી, ત્યારે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં કહેવામાં આવ્યું હતું કે,લિથિયમ-આયન (લિથિયમ-આયન) બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે, જેનું કારણ એ છે કે, આ બેટરી ઊંચા તાપમાને ગરમ થાય છે અને આગ પકડે છે.
આ સિવાય આ રિપોર્ટમાં આગ લાગવા પાછળ વાઇબ્રેશનને પણ કારણ માનવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે, વાહન ચાલતી વખતે જો બેટરી વધુ પડતીવાઇબ્રેટ કરે છે, તો તે આગ પણ પકડી શકે છે. આ સિવાય જો મેન્યુફેક્ચરિંગ દરમિયાન કોઈ ખામી હોય તો પણ આવી ઘટનાઓ બની શકે છે.
ભારતમાં નોંધાયેલા ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 10 લાખ 76 હજાર 420 છે, જ્યારે ભારતમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા હવે 1 હજાર 742 છે. જોકે, એક અંદાજમુજબ, વર્ષ 2026 સુધીમાં, ભારતમાં ચાર લાખ ચાર્જિંગ સ્ટેશનની જરૂર પડશે અને વર્ષ 2030 સુધીમાં, ઇલેક્ટ્રિક વાહનોનો આ ઉદ્યોગ 150 અબજ ડોલર એટલે કેલગભગ સાડા 11 લાખ કરોડ રૂપિયાનો થઈ જશે. એટલે કે આ ઉદ્યોગ આજની સરખામણીમાં 90 ગણો મોટો બની જશે.
આ આંકડા દર્શાવે છે કે, ભારતના લોકો આ ટેક્નોલોજી અપનાવવા માગે છે, પરંતુ ઈલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓએ સમજવું પડશે કે, જો તેઓ આ ટેક્નોલોજીનેસુરક્ષિત નહીં બનાવે તો લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાથી ડરવા લાગશે. કારણ કે, પૈસા બચાવવાનો માર્ગ બદલી શકાય છે, પરંતુ જીવન બચાવી શકાતું નથી. તેથીઆ ટેક્નોલોજી સુરક્ષિત હોવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
