AK-47 : કેવી રીતે બની વિશ્વની સૌથી ઘાતક રાઇફલ? જેણે લાખો લોકોના જીવ લીધા
AK-47 : એકે-47 (AK-47) રાઇફલ વિશ્વની સૌથી પ્રખ્યાત અને ઘાતક હથિયારોમાંથી એક છે. અમેરિકાના ટ્વિન ટાવર પર થયેલા આતંકી હુમલા બાદ પણ ઓસામા બિન લાદેન હાથમાં આ જ રાઇફલ સાથે જોવા મળ્યો હતો.
આ દર્શાવે છે કે આ રાઇફલ આતંકવાદીઓની પણ પહેલી પસંદ છે. સૈનિકોથી લઈને આતંકવાદીઓ સુધી, દરેક માટે એકે-47 આટલી લોકપ્રિય કેમ બની અને આ રાઇફલે કેવી રીતે દસ લાખથી વધુ લોકોના જીવ લીધા તેની પાછળ એક ખાસ ઇતિહાસ છુપાયેલો છે.

એક બગડેલી બંદૂકમાંથી થયો એકે-47નો જન્મ
એકે-47ની કહાની સોવિયત સંઘના એક યુવાન સૈનિક મિખાઇલ કલાશ્નિકોવથી શરૂ થાય છે. 1940ના દાયકામાં યુદ્ધ દરમિયાન મિખાઇલ કલાશ્નિકોવ ઘાયલ થયા હતા.
કહેવાય છે કે તેમની બંદૂક ખરાબ થઈ જવાથી આવું થયું હતું. આ ઘટના પછી મિખાઇલે એક એવી રાઇફલ બનાવવાનું નક્કી કર્યું, જે સૈનિકોને વિશ્વાસ આપે, વાપરવામાં સરળ હોય અને તેની જાળવણી પણ ઓછી કરવી પડે.
બે વર્ષની મહેનત અને અનેક નિષ્ફળતાઓ પછી તેમની ટીમે 1947માં ઓટોમેટિક કલાશ્નિકોવ એટલે કે એકે-47નો ડિઝાઇન તૈયાર કરી. 18 જૂન 1949ના રોજ સોવિયત સેનાએ તેને સત્તાવાર રીતે અપનાવી. આ રાઇફલ માત્ર એક મશીનની બનાવટ નહોતી, પરંતુ જરૂરિયાત, અનુભવ, નિષ્ફળતા અને સાદું એન્જિનિયરિંગનું પરિણામ હતી.
અસાધારણ ડિઝાઇન અને લોકપ્રિયતા
- મજબૂત અને વિશ્વસનીય : આ રાઇફલ ગેસ-ઓપરેટેડ હતી અને ઓછા ભાગોથી બનેલી હતી. તેની ક્ષમતા એટલી ઊંચી હતી કે ધૂળ, કીચડ કે વરસાદ જેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ તે અટકતી નહોતી. એક કહાની અનુસાર, જો તેને 10 વર્ષ સુધી જમીનમાં દાટી રાખવામાં આવે અને પછી બહાર કાઢીને ચલાવવામાં આવે તો પણ તે કામ કરશે.
- સરળ જાળવણી : એકે-47ને સાફ કરવી અને તેની જાળવણી કરવી ખૂબ જ સરળ છે. આ રાઇફલનો ઉપયોગ કરવા માટે થોડા દિવસની તાલીમ જ પૂરતી હતી.
- ખર્ચ ઓછો : અન્ય રાઇફલોની સરખામણીમાં એકે-47 બનાવવાનો ખર્ચ ઘણો ઓછો હતો. આ કારણે જ તે દરેક વર્ગ માટે સુલભ બની. આ જ કારણોસર તે વ્યાવસાયિક સૈનિકોથી લઈને આતંકવાદીઓ સુધી પહોંચી.
શીત યુદ્ધથી વૈશ્વિક પ્રતીક સુધીનો ઇતિહાસ
શીત યુદ્ધ દરમિયાન સોવિયત સંઘ અને પછી ચીને આ રાઇફલ પોતાના મિત્ર દેશો અને ક્રાંતિકારીઓને આપી. આ કારણે એકે-47 અને તેના વિવિધ પ્રકારોનું ઉત્પાદન ઘરેલું સ્તરે પણ શરૂ થયું. આજે વિશ્વમાં 7 થી 10 કરોડથી વધુ કલાશ્નિકોવ શ્રેણીની રાઇફલો હોવાનો અંદાજ છે. તેની સાચી સંખ્યા કહેવી મુશ્કેલ છે, કારણ કે તે હવે ગેરકાયદેસર રીતે ગમે ત્યાં બનાવવામાં આવે છે.
એકે-47 ની લોકપ્રિયતાના મુખ્ય 5 કારણો
- વિશ્વસનીયતા : તે કઠિન પરિસ્થિતિઓમાં પણ કામ કરે છે.
- સસ્તું ઉત્પાદન : તેને બનાવવાનો ખર્ચ ઓછો છે અને તેના ભાગો સરળતાથી ઉપલબ્ધ છે.
- સરળ તાલીમ : શરૂઆતના યુઝર પણ તેને ઝડપથી શીખી શકે છે.
- ઉપલબ્ધતા : શીત યુદ્ધ દરમિયાન તેના સપ્લાય અને પછી ગેરકાયદેસર બજારોમાં સરળતાથી મળવાને કારણે તેની સંખ્યામાં વધારો થયો.
- મલ્ટી-વેરિયન્ટ ઇકોસિસ્ટમ : વિવિધ દેશોમાં બનેલા તેના અનેક વર્ઝન અને સ્પેરપાર્ટ્સ સરળતાથી મળે છે.
એકે-47 અને મૃત્યુઆંક
એકે-47થી થયેલા મૃત્યુનો ચોક્કસ આંકડો કોઈ સંસ્થા આપી શકતી નથી, કારણ કે દરેક યુદ્ધમાં અનેક હથિયારોનો ઉપયોગ થાય છે. તેમ છતાં એક અંદાજ મુજબ આ હથિયારે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે દર વર્ષે લગભગ 500,000 લોકોના જીવ માત્ર હળવા હથિયારોને કારણે જાય છે.
રાજકારણ અને કાળો બજાર
એકે-47 માત્ર એક રાઇફલ નથી, પરંતુ તે તાકાત, ક્રાંતિ અને પ્રતિકારનું પ્રતીક પણ બની ગઈ છે. તેના કાળા બજારને કારણે તે સામાન્ય માણસ માટે પણ સુલભ બની ગઈ. ક્યાંક તેની કિંમત લાખોમાં હતી તો ક્યાંક એક મરઘાના બદલામાં તે મળી જતી હતી. ફિલ્મો, રમતો અને પોસ્ટરોમાં પણ તે લોકપ્રિય બની, જેનાથી તેનુ બ્રાન્ડિંગ થયુ.
એકે-47એ અનેક જીવન ઉજાળ્યા અને અનેક જીવન બરબાદ પણ કર્યા. આટલું બધું થયા પછી પણ તે આજે પણ એક સન્માનનું પ્રતીક મનાય છે.
-
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે?












Click it and Unblock the Notifications
