અહીં સરકાર લોકોને 'મરવા' નથી દેતી, 104 વર્ષ પહેલા નોંધાયું હતું છેલ્લું મૃત્યુ
દરેક જીવનું જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે, પરંતુ આપણે જે સ્થાનની વાત કરી રહ્યા છીએ ત્યાંની સરકારે લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂક્યો છે.
લોંગ યરબેન : જીવન અને મૃત્યુ એ દુનિયાનું અપરિવર્તનશીલ સત્ય છે, પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 104 વર્ષમાં એક પણ મૃત્યુ થયું નથી. હા આ સાંભળીને તમારું માથું તો ચોક્કસથી ભમી જ ગયું હશે, પરંતુ સરકારી આંકડાઓ અનુસાર 1917થી અત્યાર સુધી કોઈ માનવીનું કુદરતી કે અકુદરતી મૃત્યુ થયું નથી. એવું કહેવાય છે કે, દરેક જીવનું જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે, પરંતુ આપણે જે સ્થાનની વાત કરી રહ્યા છીએ ત્યાંની સરકારે લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂક્યો છે.

1917 બાદ અહીં એક પણ મૃત્યુ થયું નથી
અમે વાત કરી રહ્યા છીએ નોર્વેના લોંગ ઈયરબેનની, જ્યાં મેથી જુલાઈ સુધી સૂર્ય આથમતો નથી. આ જાદુઈ જગ્યાએ 76 દિવસ સુધી આકાશમાં સૂર્ય સતત ચમકતોરહે છે, એટલે કે અહીંના લોકોને આટલા દિવસો સુધી અંધારું દેખાતું નથી.
જો કે, તેમ છતાં અહીં ઠંડી છે અને સરકારની પરવાનગી વિના આ સ્થળે કોઈ પોતાનો જીવઆપી શકે નહીં. સ્થાનિક સરકારે લોંગ યરબીનમાં લોકોને મરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ કારણે મરવા પર પ્રતિબંધ છે
અહીં છેલ્લું મૃત્યુ 1917 માં થયું હતું, ત્યારથી અહીં કોઈને મરવાની મંજૂરી નથી. ખરેખર તેની પાછળ એક ખાસ કારણ છે. અહીં એટલી ઠંડી પડે છે કે, પાણી હંમેશા થીજીજાય છે.
જો અહીં કોઈનું મૃત્યુ થાય છે, તો દફન કર્યા બાદ મૃતદેહ ઠંડીને કારણે સડતો નથી અને તે સદીઓ સુધી જમીનમાં દટાયેલો રહે છે. શરીરનું વિઘટન થતું નથી.

મૃત્યુ પહેલા શિફ્ટ કરવામાં આવે છે
જો તમે વિચારી રહ્યા છો કે, પ્રતિબંધ લગાવીને મૃત્યુને કેવી રીતે રોકી શકાય છે, તો થોડી વાર રાહ જુઓ, જવાબ આગળ મળી જશે.
વાસ્તવમાં સરકાર દ્વારા મૃત્યુ પરપ્રતિબંધ મૂક્યા બાદ જ્યારે અહીં મૃત્યુ નિશ્ચિત લાગે છે, ત્યારે તેને બીજી જગ્યાએ મોકલવામાં આવે છે.
તેનો અંદાજ તેની ઉંમર તબિયત અને માંદગી પરથીલાગાવવામાં આવે છે. જ્યારે અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે, ત્યારે તેની સંભાળ લેવામાં આવે છે.

આ દેશોમાં પણ મૃત્યુની છે મનાઈ
જો તે ત્યાં મૃત્યુ પામે છે, તો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, તો તેના શરીરને બીજી જગ્યાએ દફનાવવામાં આવે છે.
માત્ર નોર્વે જ નહીં, પરંતુ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકોને મરવા પર પ્રતિબંધ છે.
તેમાં ઇત્સુકુશિમા (જાપાન), લેન્ઝારોન (સ્પેન), સેર્પોરેન્ક્સ અને કુગ્નોક્સ(ફ્રાન્સ), સેલિયા (ઇટાલી) અને બિરિટીબા મિરિમ (બ્રાઝિલ)નો સમાવેશ થાય છે.

104 વર્ષથી નથી સડી લાશ
અહીં લગભગ 104 વર્ષ પહેલા ઈન્ફલ્યુએન્ઝાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાંઆવ્યો હતો, પરંતુ તીવ્ર ઠંડીને કારણે તેનું શરીર આજ સુધી સડ્યું નથી. એટલું જ નહીં, એવું કહેવાય છે કે, આજે પણ તેના શરીરમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. ત્યારથીસ્થાનિક સરકારે અહીં લોકોને મરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
