આ તળાવમાં ઉતરતા જ જીવતા પ્રાણીઓ બની જાય છે પથ્થર, જાણો ક્યાં આવેલુ છે આ રહસ્યમય તળાવ?
આ ધરતી પર ઘણી જગ્યાઓ પર રહસ્યમય જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓ પર થતી એક્ટિવીટીને હજુ પણ વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. આજે આપણે આવા જ એક તળાવની વાત કરવાના છીએ. આ તળાવમાં ઉતરનારા તમામ જીવ પથ્થર બની જાય છે.
हैं.
આ રહસ્યમય તળાવ ઉત્તર તાન્ઝાનિયાના નાગોરોંગોરોમાં આવેલુ છે. અહીંના સ્થાનિક લોકો આ તળાવને શ્રાપિત માને છે. સ્થાનિકો માને છે કે આ તળાવ શેતાન દ્વારા બનાવવામાં આવ્યું છે.

લોકો કહે છે કે શેતાન દ્વારા બનાવવામાં આવેલુ હોવાથી માણસ અથવા પ્રાણી જે પણ તળાવમાં જાય તે પથ્થર બની જાય છે. આ તળાવને નેટ્રોન લેક તરીકે ઓળખવામાં આવે છે. અહીં પાણી ખૂબ જ લાલ છે. આ તળાવનું પાણી જોઈને જ પ્રવાસીઓ ડરી જાય છે અને સૂર્યાસ્ત પછી કોઈ તેના કિનારે ભટકવાની હિંમત કરતું નથી.
જણાવી દઈએ કે, 2013માં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર નિક બ્રાંડ્ટ આ લેક નેટ્રોન પાસે પહોંચ્યા તો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેમને લાગ્યું કે જાણે આ તળાવ બીજી દુનિયાની શક્તિઓથી નિર્મિત કરાયુ હશે.
આ જગ્યાના ફોટો લીધા બાદ જ્યારે નિકે તેને ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યા તો તે આખી દુનિયામાં વાયરલ થઈ ગયા. આ પછી વિશ્વભરમાંથી લોકો અને વૈજ્ઞાનિકો આ તળાવ પર પહોંચવા લાગ્યા.
હકિકતમાં જે આ તળાવને તેનું પાણી ઘાતક બનાવે છે. આ તળાવના પાણીનું pH લગભગ 12 છે. એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો તે બિલકુલ હોમમેઇડ બ્લીચિંગ પાવડર જેવું છે. આ સાથે આ તળાવના પાણીમાં સોડિયમ કાર્બોનેટ અને નાઈટ્રોકાર્બોનેટ જેવા તત્વો જોવા મળે છે, જે આ તળાવના પાણીને જીવલેણ ખારા બનાવે છે. આ જ કારણ છે કે જે પણ પ્રાણી આ તળાવમાં જાય છે તે મૃત્યુ પામે છે અને પછી તેનું શરીર તેમાં થીજી જાય છે.












Click it and Unblock the Notifications
