આવનારા 10 વર્ષમાં માણસ અમર થઈ જશે, આ વૈજ્ઞાનિકનો દાવો તમને ચૌકાવી દેશે
માણસ તેના મોતનો ગુલામ છે. કોઈપણ માણસ એક વખત વૃદ્ધ થાય છે અને મોતને ભેટે છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો ઉમરને વધતી અટકાવવા માટે સતત રિસર્ચ કરી રહ્યા છે. હવે એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આવનારા કેટલાક વર્ષોમાં માણસ અમર થઈ જશે.
ફ્યુચરિસ્ટ અને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ રે કુર્ઝવીલે દાવો કર્યો છે કે, 2031 સુધીમાં માણસ અમરત્વ પ્રાપ્ત કરી લેશે. તેમનું કહેવુ છે કે, વિશ્વમાં મોટા પાયે ટેકનોલોજીકલ ફેરફારો થઈ રહ્યા છે અને તેની અસર આપણા જીવન પર પડે છે.

મોટો દાવો દોહરવાતા કુર્ઝવીલે જણાવ્યુ કે, માણસ અમરત્વના રહસ્યને ખોલવાની ખૂબ નજીક છે અને શક્ય છે કે આ ચમત્કાર દસ વર્ષમાં થાય. રે કુર્ઝવીલે આ પહેલા પણ આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે અને સાચી સાબિત પણ થઈ છે.
અહીં તમને જણાવી દઈએ કે, રે કુર્ઝવીલે 1990માં ભવિષ્યવાણી કરી હતી કે નવી સદીમાં વિશ્વ કોમ્પ્યુટરનું ગુલામ બની જશે. આ ભવિષ્યવાણી આજે 100 ટકા સાચી સાબિત થઈ છે. તેમણે કહ્યું હતું કે, આવનારા સમયમાં કોમ્પ્યુટરની શક્તિ એટલી બધી હશે અને તેનું ક્ષેત્ર એટલું વિશાળ હશે કે અમરત્વ આપણી મુઠ્ઠીમાં આવી જશે. હવે તેમણે દાવો કર્યો છે કે 2029 સુધીમાં માણસ ટેકનોલોજીથી મોટા દ્વારા ચમત્કાર કરવા જઈ રહ્યો છે.
રે કુર્ઝવીલનું માનીએ તો, મનુષ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે નિપુણતા હાંસલ કરવાની ખૂબ નજીક છે. નિપુણતા પછી લોકોને તેમના ભૌતિક શરીરમાં રહેવાની જરૂર રહેશે નહીં. કુર્ઝવીલનો દાવો છે કે માણસ પોતાની બુદ્ધિમત્તાના આધારે 2030 સુધીમાં અમરત્વ પ્રાપ્ત કરી શકે છે.












Click it and Unblock the Notifications
