ભારત નહીં પણ આ દેશમાં રહે છે સૌથી વધુ હિન્દુઓ, જાણો ક્યાં દેશમાં હિન્દુઓની કેટલી વસ્તી?
ભારતમાં હિન્દુઓની મોટી વસ્તી છે. દેશમાં લગભગ 80 ટકા વસ્તી હિન્દુઓની છે અને તમામ દેવી દેવતાઓના મંદિર આવેલા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ટકાવારીની દ્રષ્ટીએ હિન્દુઓની સૌથી વધુ વસ્તી ભારતમાં નહીં પરંતુ અન્ય એક દેશમાં આવેલી છે.
ભારતમાં મોટી જનસંખ્યા હિન્દુ ધર્મ પાળે છે. ભારતની 80 ટકા આસપાસ વસ્તી હિન્દુ છે. અહેવાલો અનુસાર, ભારતમાં 966.3 મિલિયન લોકો હિન્દુ છે અને કુલ વસ્તીના લગભગ 79 ટકા છે. પરંતુ એક દેશ એવો પણ છે જેમાં હિન્દુઓની ટકાવારી આનાથી પણ વધારે છે.

આ દેશ ભારતનો પાડોશી દેશ નેપાળ છે. નેપાળમાં ટકાવારીની દ્રષ્ટીએ કુલ વસ્તીની ટકાવારી સથી વધુ છે અને નેપાળની કુલ વસ્તીના 80 ટકાથી વધુ લોકો હિન્દુ ધર્મ પાળે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર 2021ની વસ્તી ગણતરી મુજબ નેપાળમાં 81.19 ટકા લોકો હિન્દુ છે. આ સંખ્યા 2,36,77,744 છે. આમ ટકાવારીની દ્રષ્ટીએ ભારત કરતા પણ નેપાળમાં વધુ હિન્દુઓ રહે છે.
નેપાળ અને ભારત પછી સૌથી વધુ હિન્દુ વસ્તી મોરેશિયસમાં છે. મોરેશિયસમાં 48.4 ટકા હિન્દુઓ રહે છે. મોરેશિયસ પછી ફિજી 27.9 ટકા, ગુયાના 23.3 ટકા, ભૂટાન 22.5 ટકા, ટોબેગો 18.2 ટકા, કતાર 15.1 ટકા, શ્રીલંકા 12.6 ટકા, કુવૈત 12.0 ટકા, બાંગ્લાદેશ 8.5 ટકા, મલેશિયા 6.3 ટકા, સિંગાપુર, U50 ટકા. ઓમાનમાં 3.0 ટકા હિન્દુઓની વસ્તી છે.
આ સિવાય અન્ય દેશોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં 2.7 ટકા, ન્યૂઝીલેન્ડમાં 2.6 ટકા, કેનેડામાં 2.3 ટકા, પાકિસ્તાનમાં 2.1 ટકા, બ્રિટનમાં 1.7 ટકા અને અમેરિકામાં એક ટકા વસ્તી હિન્દુ ધર્મ પાળે છે.












Click it and Unblock the Notifications
