બહુ જલ્દી ધરતી પરથી ગાયબ થઈ જશે આ જનજાતિઓ, હવે બચ્યા છે ગણતરીના સભ્યો
આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. માણસ અને પશુપક્ષીઓમાં પણ મોટી વિવિધતા જોવા મળે છે. આ જ કારણ છે કે દુનિયાના વિવિધ ભાગોમાં માણસની વિવિધ જનજાતિઓ વસવાટ કરે છે. જો કે માણસે પોતાની લાલચથી દુનિયાના અસ્તિત્વને ખતરામાં મુકી છે.
માણસના પોતાના લાલચી કામોથી આજે દુનિયામાં ઘણી એવી જનજાતિઓ છે જે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આજે આપણે દુનિયામાં ખતમ થવા જઈ રહેલી જનજાતિઓ વિશે વાત કરવાના છીએ.

આકુંત્સુ
આકુંત્સુ જનજાતિ બ્રાઝિલમાં જોવા મળે છે. અહેવાલો અનુસાર, ઉત્તર-પશ્ચિમ બ્રાઝિલમાં રહેતી આ જનજાતિમાં માત્ર 4 લોકો જ બચ્યા છે. 1980 સુધી તેમની સંખ્યા ઘણી વધારે હતી પરંતુ 1990 ના દાયકામાં જંગલો કાપવાનું શરૂ થયુ અને આ જનજાતિના લોકોની હત્યાઓ કરાઈ. આ જ કારણ છે કે આજે તે લુપ્ત થવાના આરે છે.
જારવા જનજાતિ
ભારતના આંદમાન ટાપુઓ પર જોવા મળતી જારવા જનજાતિનો દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. હજુ પણ આદીકાળની રીતે જીવતી આ પ્રજાતિના માત્ર 400 લોકો બચ્યા છે. આ લોકો દરિયાઈ તોફાનો સાથે ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે.
લિવોનિયન્સ જનજાતિ
લિવોનિયન્સ જનજાતિ લૈટવિયામાં જોવા મળે છે. માછીમારી કરતી આ જનજાતિ અહીં 4000 વર્ષથી વસે છે. તેમના ગામોનો નાશ કરાયા બાદ તેની વસ્તી 200 સુધી પહોંચી ગઈ છે.
નુકાક
કોલંબિયાની જનજાતિમાં હવે 400 સભ્યો જ બચ્યા છે. કોકોઆ ઉગાડનારા અને કોકેઈન વેચનારા વેપારીઓને કારણે આ જનજાતિ નાસ પામી રહી છે. જનજાતિ 1988માં પહેલીવાર બહારની દુનિયાના સંપર્કમાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 50 ટકા લોકો મૃત્યુ પામ્યા છે.
અલ મોલો
કેન્યાની અલ મોલો જનજાતિ પણ લુપ્ત થવાના આરે છે. આ જનજાતિના લગભગ 800 લોકો જ બચ્યા છે. આ લોકો ક્યાંથી આવ્યા તેના કોઈ પુરાવા નથી. તેઓ કેન્યામાં લેક ટુર્કાના પાસે રહે છે.
સાઓચ
કંબોડિયાની સાઓચ જનજાતિના માત્ર 110 લોકો જ બચ્ચા છે. આ જનજાતિના લોકોને તેમની પોતાની ભાષાને કારણે મોતને ઘાટ ઉતારી દેવાયા. હવે લુપ્ત થવાના આરે પહોચી ગયા છે.
બાટક
ફિલિપાઈન્સની બાટક જનજાતિ પણ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. આ જનજાતિના માત્ર 300 લોકો જ બચ્યા છે. તે ખેતી અને શિકાર કરીને પોતાનું પેટ ભરતા હતા પરંતુ તેમની સામેની હિંસા અને ખેતીની બદલાતી ખેતીની તકનીકોને કારણે તે લુપ્ત થઈ રહ્યા છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
