સેલ્ફી પાછળ કેમ પાગલ થઈ રહ્યા છે લોકો? જાણો શું કહે છે જાણકારો?
દુનિયામાં આજે તમને ગમે તે જગ્યાએ કોઈને કોઈ વ્યક્તિ સેલ્ફી ક્લિક કરતી જોવા મળશે. સોશિયલ મીડિયાથી લઈને લગ્ન સુધી તમામ જગ્યાએ સેલ્ફી છવાયેલી રહે છે. સેલ્ફીની ઝડપથી વધેલી લોકપ્રિયતા પાછળ ઘણા કારણો છે. આજે આપણે એ કારણો વિશે જ વાત કરવાના છીએ.
યુવાનોને પાગલ બનાવનારી સેલ્ફી પાછળ ઘણા કારણો છે. વધી રહેલા સેલ્ફીના ટ્રેન્ડના કારણે હવે તેને લઈને રિસર્ચ પણ શરૂ થયા છે. આ રિસર્ચમાં ઘણી ચૌકાવનારી બાબતો સામે આવી છે.

જર્મનીની યુનિવર્સિટી ઓફ ટ્યુબિંગેન અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોએ સાથે મળીને સેલ્ફીને લઈને એક અભ્યાસ હાથ ધર્યો છે. આમાં રિસર્ચરોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે લોકો સેલ્ફી પાછળ આટલા પાગલ કેમ થઈ રહ્યા છે? 2113 લોકો પર હાથ ધરાયેલા આ રિસર્ચમાં ઘણા ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે.
સેલ્ફીનો મનોવિજ્ઞાન સાથે સીધો સંબંધ છે. આ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, લોકો દુનિયાને એ જ ફોટો દેખાડવાની ઈચ્છા રાખે છે જે તે જોવા માંગે છે. લોકો સેલ્ફી એટલા માટે લે છે કે તેમને ડર છે કે તેને જેવો ફોટો જોઈએ છે એવો ફોટો અન્ય વ્યક્તિ ક્લિક કરે તો નહીં આવે.
રિસર્ચરોએ જણાવ્યુ કે, જ્યારે પણ આપણે સેલ્ફી લઈએ છીએ ત્યારે આપણે શારીરિક દેખાવનું ડોક્યુમેન્ટેશન કરીએ છીએ.રિસર્ચ રાઈટર ઝાચરી નીસે જણાવ્યુ કે, સેલ્ફી જેવા અંગત ફોટા લોકોને જૂની યાદો સાથે જોડવામાં મદદ કરે છે.આવા ફોટા સામે આવતા તે સમયની તમામ યાદો તાજી થઈ જાય છે
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર લિસા લિબ્બીએ જણાવ્યું કે, આ તસવીરો સાથે આપણે તે સમગ્ર ઘટનાને ફરીથી જીવવાનું શરૂ કરીએ છીએ. ફોટો તમને તે એન્વાયરમેન્ટમાં પાછા લઈ જાય છે.
રિસર્ચમાં સામેલ લોકોને એવીી તસવીરોને રેટીંગ આપવા કહેવાયુ જે તેમને વધુ યાદ હોય. આમાં મોટાભાગના લોકોએ સેલ્ફી લીધી. બીજી ટીમને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તસવીરો શોધવાનું કહેવામાં આવ્યું ત્યારે લગભગ તમામ લોકોએ એ જ તસવીરો પસંદ કરી જે તેમણે પોતે લીધેલી હતી. તેમના વિશે વિગતવાર માહિતી પણ હતી.
આમાં બહુ ઓછા લોકો એવા હતા જેને બીજા દ્વારા લેવામાં આવેલી તસવીરો પસંદ કરી. ડૉ. નીસે અનુસાર, આ દર્શાવે છે કે ફોટા લેનારા લોકોનો પણ ખૂબ જ અંગત હેતુ હોય છે. આમાંથી એક નાર્સિસિઝમ છે. તે પોતાની જાતને પસંદગીની રીતે અન્ય લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
