ITR ફાઈલ કરવાના 10 ફાયદા
મોટા ભાગના લોકો વિચારે છે તે તેમની આવક કર માળખા કરતા ઓછી છે તો તેમને આવક વેપા રિટર્ન ન ભરવું જોઈએ. આ માન્યતા ખોટી છે.
મોટા ભાગના લોકો વિચારે છે તે તેમની આવક કર માળખા કરતા ઓછી છે તો તેમને આવક વેપા રિટર્ન ન ભરવું જોઈએ. આ માન્યતા ખોટી છે. કોઈ પણ વ્યક્તિ જે નોકરી કરી રહ્યા છે, પગાર મળી રહ્યો છે, ભલે તે કર માળખા કરતા ઓછો હોય, તો પણ આવકવેરા રિટર્ન ભરવું જોઈએ
નિષ્ણાતો મુજબ એક સારા કોર્પોરેટ નાગરિક હોવા ઉપરાંત ITR પણ એક વ્યક્તિ દ્વારા મેળવાયેલી આવકના પુરાવા અને ચૂકવાયેલા ટેક્સના પુરાવા તરીકે કામ કરે છે. એટલે તે ભરવું જરૂરી છે.
ITR રિસીપ્ટનો એક મહત્વનો દસ્તાવેજ છે.
ITR રિસીપ્ટ રાખવી મહત્વની છે કારણ કે તે ફોર્મ 16 કરતા વધુ વિસ્ત્રુત છે, જે તમારી આવક અને ટેક્સને અન્ય સ્રોતને મહેસુલ સાથે જોડે છે.
એડ્રેસ પ્રૂફ તરીકે પણ થઈ શકે ઉપયોગ
ITR રિસીપ્ટ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવે છે. જે રહેઠાણના પુરાવા તરીકે પણ કામ કરે છે. જેને તમે અડ્રેસ પ્રૂફ તરીકે જમા કરાવી શકો છો.
બેન્ક લોન લેવામાં થાય છે સરળતા
એક સારા નાગરિક તરીકે આવક વેરા ફાઈલર હાને કારણએ બેન્કો માટે ઓટો લોન, હોમ લોન જેવી લોન માટે અરજી કરતા સમયે આવકના સ્રોતની ગણતરી કરવી સરળ રહે છે.
ભવિષ્યમાં થતા નુક્સાનથી બચાવે છે
જ્યાં સુધી તમે ITR નથી ભરતા ત્યાં સુધી પાછલા વર્ષમાં તમારા ખર્ચ કે નુક્સાનને વર્તમાનમાં સાબિત નહીં કરી શકે. આવકવેરા નિયમો અનુસાર જો તમે સમયાનુસાર રિટર્ન ન ભર્યું તો કેટલાક નુક્સાન થઈ શકે છે. સાથે જ આગામી વર્ષોમાં તમે નહીં ભરી શકો. એટલે ભવિષ્યમાં થતા નુક્સાનથી બચવા માટે ITR ફાઈલ કરવું જોઈએ.
વધુ વ્યાજ આપવાથી બચશો
જો તમે ITR ફાઈલ નથી કરતા તો બાકી રિટર્ન દ્વારા તમારે સરચાર્જ પ્રતિ મહિના 1 ટકા વ્યાજનું કારણ બની શકે છે. દાખલા તરીકે બેન્ક નિશ્ચિત મર્યાદા કરતા વધુ સમય રકમ જમા પર વ્યાજમાંથી કર ઘટાડશે.
પેનલ્ટી આપવાથી બચશો
નાણાકીય વર્ષ 2017-18માં તમે કર માળખામાં આવો છો અને સમય મર્યાદામાં ITR ફાઈલ નથી કરતા તો 10 હજાર સુધીની પેનલ્ટી લાગી શકે છે. જે આગામી વર્ષ માટે યોગ્ય નથી
ક્રેડિટ કાર્ડ મળવામાં થઈ શકે છે મુશ્કેલી
જો તમે ક્યારેય ઈન્કમટેક્સ રિટર્ન નથી ભર્યું તો તમને ક્રેડિટ કાર્ડ લેવામાં મુશ્કેલી પડી શકે છે. બેન્ક તમારી ક્રેડિટ કાર્ડ એપ્લીકેશન રિજેક્ટ કરી શકે છે.
સરળતાથી વીઝા માટે કરી શકો છો અરજી
ક્યારેક ક્યારેક વીઝા અધિકારી પાછલા કર રિટર્નની કોપી માગે છે, એટલે વીઝા માટે અરજી કરવા માટે પણ ITR જરૂરી છે. ખાસ કરીને યુએસ, યુકે, કેનેડા એમ્બસીમાં તે માગવામાં આવે છે. તો વીઝા માટે અરજી કરતા પહેલા તમારી ટેક્સ રિટર્નની પ્રક્રિયા પૂરી કરો.
સારી પોલિસી વાળા ઈન્સ્યોરન્સ પ્લાન નહીં મળે
જો વીમા કંપનીઓને જાણ હશે કે તમે ટેક્સ નથઈ બરતા તો તમને વધુ કવરે જ વાળ પ્લાન કે પછી સારી પોલીસી આપતા પહેલા તેઓ વિચારશે.
ફ્રીલાન્સર અને સ્વતંત્ર પ્રોફેશનલ્સ માટે સરળતા
ફ્રીલાન્સર અને પોતાનો વેપાર કરનાર લોકો પાસે ફોર્મ 16 નથી હોતું. તેવામાં ITR ફાઈલની રિસીપ્ટ તેમનો મહત્વનો દસ્તાવેજ હોય છે, જે ક્યાંય પણ રજૂ કરી શકાય છે. તેના વગર ફંડિંગ અને ટ્રાન્જેક્શનમાં મુશ્કેલી થઈ શકે છે.